એપશહેર

અમદાવાદઃ કેનેડામાં ભણતા વિદ્યાર્થીએ એવી ભૂલ કરી કે તેને પરત જવા માટે કોર્ટે 5 લાખ જમા કરાવવા કહ્યું

કોરોનાકાળમાં સ્કૂલ-કૉલેજો બંધ થઈ ગઈ હતી, અને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. આવામાં લોકડાઉન દરમિયાન કેનેડાથી પરત આવેલા વિદ્યાર્થીએ હિન્દુ-દેવી દેવતાઓને લઈને ઈન્સ્ટાગ્રામ પર ના કરવાનું કર્યું અને આખરે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીએ ફરી અભ્યાસ માટે કેનેડા જવા માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો અને જતા પહેલા 5 લાખ રૂપિયા ભરવાનો વારો આવ્યો છે.

Edited byTejas Jingar | TNN 14 Aug 2022, 9:03 am

હાઈલાઈટ્સ:

  • હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા
  • ભગવાનના ફોટો મૂકીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો
  • કોર્ટે તેને કેનેડા અભ્યાસ માટે જતા પહેલા 5 લાખ રૂપિયા ભરવા કહ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Canada study
કેનેડા સ્ટડી
અમદાવાદઃ શહેરની સેશન્સ કોર્ટે 22 વર્ષના ઈન્દોરના વિદ્યાર્થીને વિદેશ ભણવા જવા માટે 5 લાખ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું છે. કોરોના મહામારી પછી વિદ્યાર્થી ફરી પોતાનો અભ્યાસ શરુ કરવા માટે કેનેડા જવા માગે છે, જેની મંજૂરી માટે કોર્ટે રૂપિયા જમા કરાવવા માટે કહ્યું છે. વિદ્યાર્થીને હિન્દુ દેવી-દેવતાઓની અશ્લીલ તસવીરો પોસ્ટ કરવા અને ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા માટે થયેલી ધરપકડ બાદ બાદ જામીન મેવવા માટે આ રકમ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
હિમાંશુ ખંડેલવાલ બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટી (British Columbia University)થી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિષયમાં સ્નાતકની ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યો છે. હિમાંશુ લોકડાઉનના સમયમાં ભારત પરત આવ્યો હતો કારણ કે આ સમયે કોરોનાની મહામારીના લીધે તેમના ક્લાસ ઓનલાઈન થઈ ગયા હતા. તારીખ 25 એપ્રિલ 2020માં હિમાંશુ સામે VHP (વિશ્વ હિન્દુ પરિષદ)ના કાર્યકર્તા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક ફોટો પોસ્ટ કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. 2021માં હિમાંશુની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તેનો પાસપોર્ટ રોકી દેવામાં આવ્યો હતો.

આ પછી હિમાંશુએ પોતાનો અભ્યાસ ફેબ્રુઆરીમાં ફરી શરુ થતા કેનેડા જવા માટે મંજૂરી માગી હતી. કોર્ટે તેને જૂન 30 સુધી કેનેડા જવા માટે મંજૂરી આપી હતી. તે વેકેશનમાં ઘરે પરત આવ્યો અને તે પછી ફરી યુનિવર્સિટીમાં જવા માટે તેણે મેટ્રોપોલિટન કોર્ટ પાસે આ અંગે મંજૂરી માગી હતી.

3 ઓગસ્ટે કોર્ટે તેને ભારત છોડવા માટે મંજૂરી આપી હતી, પરંતુ 10 લાખ રૂપિયા જમા કરવા માટેની શરત પણ મૂકી હતી. હિમાંશુ ખંડેલવાલે આટલી મોટી રકમ જમા કરાવવાની બાબતથી વ્યથિત થઈ ગયો હતો. તેણે વકીલ એસ આર મિશ્રા દ્વારા સિટી સેશન્સ કોર્ટમાં આ અંગે રજૂઆત કરી હતી. હિમાંશુના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, તેની સામે 295A હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ આરોપો પાણીદાર નથી, અને ફરિયાદમાં કલમનો ઉલ્લેખ નથી. કારણ કે વિદ્યાર્થીએ ધર્મનું અપમાન કર્યું નથી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી.

આ સિવાય તેના માતા-પિતાએ તેના વિદેશ અભ્યાસ માટે પહેલાથી જ વ્યાજે રૂપિયા લીધા હોવાથી તેમના પર દેવું છે. આ મામલે સુનાવણી કરતા એડિશનલ સેશન જજ એબી ભોજકે કોર્ટમાં જમા કરાવવા માટેની રકમ અડધી કરી નાખવાનો આદેશ કર્યો છે.

Read Next Story