એપશહેર

અમદાવાદમાં કરફ્યૂ દરમિયાન રેલવે અને પ્લેનના મુસાફરો માટે કરાઈ ખાસ વ્યવસ્થા

કાલુપર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવી રહેલા મુસાફરો માટે 40 સ્પેશિયલ બસની સુવિધા, જોઈ લો તેનું લિસ્ટ

I am Gujarat 20 Nov 2020, 10:31 pm
અમદાવાદ : શહેરમાં આજે રાત્રિના 9.00 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6.00 વાગ્યા સુધીનો 60 કલાકનો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ કર્ફ્યૂની જાહેરાતના પગલે અમદાવાદ શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં અચાનક ભીડ વધી છે. આ સ્થિતિમાં મુસા્ફરી કરનારા લોકો માટે પણ ખાસ છૂટ આપવામાં આવી છે. કાલુપર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવી રહેલા મુસાફરો માટે 40 સ્પેશિયલ બસની સુવિધા કરવામાં આવી છે.
I am Gujarat ahmedabad curfew amts bus railway station
અમદાવાદમાં કરફ્યૂ દરમિયાન રેલવે અને પ્લેનના મુસાફરો માટે કરાઈ ખાસ વ્યવસ્થા


અમદાવાદમાં કર્ફ્યૂની જાહેરાતના પગલે દરમિયાન AMTS અને BRTSની સુવિધા બંધ રહેશે. આ સિવાય રિક્ષાઓ અને ખાનગી વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે અગાઉથી મુસાફરીનું પ્લાનિંગ કરી ચૂકેલા મુસાફરો માટે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર તેમને ઘરે પહોંચવા માટે 40 સ્પેશિયલ બેસની સુવિધા કરવામાં આવી છે. નીચે આપેલા લિસ્ટમાં તમે કયા વિસ્તાર માટે કેટલી બસ ફાળવવામાં આવી છે તેની માહિતી જોઈ શકો છો.



હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે
કર્ફ્યૂની જાહેરાત બાદ અમદાવાદ એરપોર્ટ દ્વારા ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે કે ફ્લાઈટના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરે તેમના સમય મુજબ એરપોર્ટ પહોંચવાનું રહેશે. મુસાફરી કરનારા વ્યક્તિએ એર ટિકિટ અથવા બોર્ડિંગ પાસ અને સાથે આઈડી પ્રુફ રાખવું પડશે. આ ઉપરાંત જો કોઈ સંબંધી કે પરિવારના કોઈ સભ્યને એરપોર્ટ કે રેલવે સ્ટેશન લેવા માટે જઈ રહ્યા હોય તો તેમણે સંબંધીની ટિકિટ વોટ્સએપમાં મંગાવીને પોલીસને બતાવશે તો તેઓ તેમને લેવા માટે જઈ શકશે તેવું નાયબ મુખ્યમંત્રીએ પ્રેસકોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું.

Read Next Story