એપશહેર

અમદાવાદઃ પકોડી ખાવા બાબતે પત્ની સાથે માથાકૂટ થયા બાદ પતિએ કરી લીધો આપઘાત

પકોડી ખાઈને પત્ની ઘરે પહોંચી તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો, દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી પતિએ ખોલ્યો નહીં

I am Gujarat 22 Dec 2020, 10:37 am
અમદાવાદઃ નારોલ વિસ્તારમાં રવિવારે સાંજે એક પતિ-પત્ની વચ્ચે પકોડી ખાવા બાબતે માથાકૂટ થઈ હતી. પતિએ પકોડી ખાવાની ના પાડી તો પત્ની તેના પુત્ર સાથે પોકોડી ખાવા માટે જતી રહી. પકોડી ખાઈને જ્યારે પત્ની પરત આવી અને જોયું તો તેના પતિએ આપઘાત કરી લીધો હતો.
I am Gujarat ahmedabad husband fight with his wife over eating pakodi
અમદાવાદઃ પકોડી ખાવા બાબતે પત્ની સાથે માથાકૂટ થયા બાદ પતિએ કરી લીધો આપઘાત


પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ નારોલના ઉમંગ ફ્લેટમાં રહેતા પુનાભાઈ ખાંટ તેમની પત્ની અને બાળક સાથે રહેતા હતા. રવિવારે સાંજે પુનાભાઈની પત્ની મનિષાબેને તેમના પતિને પકોડી ખાવા જવા માટે કહ્યું. આ બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આખરે પુનાભાઈ તેમની સાથે ન ગયા અને મનિષાબેન પોતાના પુત્રને લઈને પકોડીખાવા માટે ઘરેથી નીકળી ગયા.

થોડા સમય પછી મનીષાબેન તેમના પુત્ર સાથે પકોડી ખાઈને ઘરે પરત ફર્યા. આવીને તેમણે જોયું તો ઘર અંદરથી બંધ હતું. તેમણે દરવાજો ખખડાવ્યો પરંતુ પતિ પુનાભાઈએ દરવાજો ખોલ્યો નહીં. જેથી મનિષાબેન ગભરાઈ ગયા અને તેમણે આજુબાજુના લોકોની મદદ માંગી. સ્થાનિકોની મદદતી તેમણે દરવાજો ખોલ્યો અને અંદર જોયું તો તેમના પતિએ આપઘાત કરી લીધો હતો. એકઠા થયેલા લોકોમાંથી કોઈએ આ જોઈને તુરંત જ 108ને જાણ કરી. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસ અકસ્માત નોંધની ફરિયાદ નોંધીને આ બાબતે પરિવારજનોની વધુ પુછપરછ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો