અમદાવાદ: કેંદ્ર સરકારના 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે 22 લાખ રાષ્ટ્રધ્વજનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એક રાષ્ટ્રધ્વજ 30 રૂપિયામાં વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોડીએ તાજેતરમાં જ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જોકે, શહેરમાં ધ્વજસ્તંભમાં લગાવવા માટે વાંસના લાકડાની તંગી સર્જાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને રાષ્ટ્રધ્વજનો ઓર્ડર ઘટાડીને 11 લાખ કરવાની ફરજ પડી છે. ચાલુ વર્ષે ગુજરાત પર મેઘરાજા મહેરબાન, દોઢ મહિનામાં પડ્યો 60 ટકા વધુ વરસાદ, માત્ર એક જિલ્લામાં ઘટ
વાંસના લાકડાની અછત સર્જાતાં ઘટાડ્યો ઓર્ડર
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, AMCએ ધ્વજસ્તંભમાં ત્રણ ફૂટના વાંસના લાકડા પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ શહેરમાં વાંસના લાકડાની અછત હોવાથી કોર્પોરેશન માત્ર 11 લાખ રાષ્ટ્રધ્વજ મગાવી શક્યું. સૂત્રોનું માનીએ તો, પ્રાપ્ત થયેલા રાષ્ટ્રધ્વજમાંથી 6 લાખ માટે ધ્વજસ્તંભ તરીકે એલ્યુમિનિયમના પોલનો ઉપયોગ કરવામાં આવશે.
એલ્યુમિનિયમ પોલનો ધ્વજસ્તંભ તરીકે ઉપયોગ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં AMCને ચાર લાખ વાંસના લાકડા મળ્યા છે અને તેનો ઉપયોગ રાષ્ટ્રધ્વજના ધ્વજસ્તંભ તરીકે થશે. જ્યારે બાકીના રાષ્ટ્રધ્વજ એલ્યુમિનિયમના પોલ પર લગાવવામાં આવશે. ભાજપ શાસિત કોર્પોરેશન દરેક મતક્ષેત્રમાં ધ્વજનું વિતરણ કરશે. અગાઉથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 11 લાખ રાષ્ટ્રધ્વજ વેચશે જ્યારે બાકીના 11 લાખનું વિતરણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું.
નવી કાર ખરીદવા માટે ધડાધડ બૂકિંગ થઈ રહ્યા છે, પણ એક 'ચિપ'ના લીધે વેચાણ પર થઈ રહી છે અસર
દેશની આઝાદીના 75 વર્ષ થયા
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે ભારત સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. કેંદ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે અને તે જ હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 13થી15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધે અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વની લાગણી થાય તેવો છે.
વાંસના લાકડાની અછત સર્જાતાં ઘટાડ્યો ઓર્ડર
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, AMCએ ધ્વજસ્તંભમાં ત્રણ ફૂટના વાંસના લાકડા પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ શહેરમાં વાંસના લાકડાની અછત હોવાથી કોર્પોરેશન માત્ર 11 લાખ રાષ્ટ્રધ્વજ મગાવી શક્યું. સૂત્રોનું માનીએ તો, પ્રાપ્ત થયેલા રાષ્ટ્રધ્વજમાંથી 6 લાખ માટે ધ્વજસ્તંભ તરીકે એલ્યુમિનિયમના પોલનો ઉપયોગ કરવામાં આવશે.
એલ્યુમિનિયમ પોલનો ધ્વજસ્તંભ તરીકે ઉપયોગ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં AMCને ચાર લાખ વાંસના લાકડા મળ્યા છે અને તેનો ઉપયોગ રાષ્ટ્રધ્વજના ધ્વજસ્તંભ તરીકે થશે. જ્યારે બાકીના રાષ્ટ્રધ્વજ એલ્યુમિનિયમના પોલ પર લગાવવામાં આવશે. ભાજપ શાસિત કોર્પોરેશન દરેક મતક્ષેત્રમાં ધ્વજનું વિતરણ કરશે. અગાઉથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 11 લાખ રાષ્ટ્રધ્વજ વેચશે જ્યારે બાકીના 11 લાખનું વિતરણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું.
નવી કાર ખરીદવા માટે ધડાધડ બૂકિંગ થઈ રહ્યા છે, પણ એક 'ચિપ'ના લીધે વેચાણ પર થઈ રહી છે અસર
દેશની આઝાદીના 75 વર્ષ થયા
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે ભારત સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. કેંદ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે અને તે જ હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 13થી15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધે અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વની લાગણી થાય તેવો છે.