એપશહેર

Ahmedabad Fire: નારણપુરાની આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપતીનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદના નારણપુરામાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલી આઈ કેર હોસ્પિટલમાં અચાનક મોડીરાત્રે આગનો બનાવ બન્યો હતો. જો.કે આગ લાગવાના કારણે 2 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. સવારે ઘટનાની જાણ અમદાવાદ ફાયર વિભાગને થતાની સાથે ફાયર અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Edited byParth Shah | I am Gujarat 31 Dec 2022, 3:35 pm

હાઈલાઈટ્સ:

  • અમદાવાદના નારણપુરામાં આવેલી મોદી આઈકેર હોસ્પિટલમાં આગ
  • હોસ્પિટલના પહેલા માળે આગ લાગી, દાઝી જવાથી પતિ-પત્નીનું મૃત્યુ
  • વહેલી સવારે હોસ્પિટલ સ્ટાફ આવ્યો ત્યારે મૃતદેહ સીડીમાં પડ્યા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat fire
અમદાવાદ મોદી આઈકેર હોસ્પિટલ આગથી મોત
અમદાવાદ: શહેરમાં વર્ષના અંતિમ દિવસે ગોઝારી ઘટના બની છે. નારણપુરા વિસ્તારમાં આવેલી આઇ કેર હોસ્પિટલના પહેલા માળે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બે લોકોના કરુણ મોત થયા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલમાં લાગેલી આગને કારણે સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. આ આગ રાત્રે લાગ્યાની શક્યતા છે. મોડીરાત્રે લાગેલી આગમાં પતિ-પત્નીના મોત થયા છે. જોકે ખુદ હોસ્પિટલનો સ્ટાફ સવારે આવ્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ સીડીઓમાં પડ્યા હતા.
મૃતકની વિગતો અંગે વાત કરીએ તો દંપતી રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી છે. જેમાં પતિનું નામ નરેશ પારઘી (ઉ.વ 25) અને પત્ની હંસાબેન પારઘી (ઉ.વ.24) છે. રાત્રી દરમિયાન તેઓ સિક્યોરિટી ગાર્ડ તરીકે કાર્યરત રહેતા હોય છે. ગઈકાલે પણ તેઓ સિક્યોરિટી તરીકે ફરજ પર હતા તે દરમિયાન આગ લાગતા સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. ફાયર વિભાગ દ્વારા મૃતદેહ જયારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હોસ્પિટલના પહેલા માળે આગ લાગી, દાઝી જવાથી પતિ-પત્નીનું મૃત્યુ

" />
મીડિયાના અહેવાલ અનુસાર હોસ્પિટલના માલિક ડો. ધવલ મોદીનું કહેવું છે કે હોસ્પિટલમાં માત્ર દિવસ દરમિયાન જ કાર્યરત રહેતી હોય છે. હોસ્પિટલમાં કોઇપણ દર્દીને રાત્રી દરમિયાન રાખવામાં આવતા નથી, તો બીજી તરફ રાત્રે સુરક્ષા માટે થઇ સિક્યુરિટી ગાર્ડ માત્ર હોસ્પિટલમાં રહેતો હોય છે. ત્યારે સવારે જયારે નરેશભાઈને ફોન કર્યો ત્યારે તેઓને ફોન ઉપાડ્યો ન હતો. જેથી હોસ્પિટલના સ્ટાફને મેં ફોન કરી હોસ્પિટલ પહોંચવાનું કહ્યું હતું. જયારે સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે તેઓને જાણ થઇ કે હોસ્પિટલમાં કઈક થયું છે. જેથી તેઓએ તુરંત મને ફોન કર્યો અને પછી હું પણ ત્યાં પહોંચ્યો હતો. ત્યારે સ્ટાફે પહેલા માળે બારીના કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે આગ લાગી હોવાની ખબર પડી હતી. જેથી અમદાવાદ શહેર ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જેમાં સિક્યુરિટી ગાર્ડ નરેશભાઈ અને તેમના પત્નીનું મૃત્યુ થયું હતું. સિક્યુરિટી ગાર્ડ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી રાત્રી દરમિયાન સિક્યોરિટી કરી રહ્યો હતો.

હોસ્પિટલના પહેલા માળે આગ લાગી, દાઝી જવાથી પતિ-પત્નીનું મૃત્યુ


જો.કે હાલમાં FSL અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. આ સાથે ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી રહી છે. આ તરફ આગ લાગી ત્યારે બંને આગ ઓલવવાની પણ કોશિશ કરી હોવાનું પણ ACPએ પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે તેવું ઉમેર્યું હતું. તો બીજી તરફ અમદાવાદ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે મીડિયાને જણાવ્યું કે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં આગની ઘટના અંગેનો કોલ મળતા જ મેમનગર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા સમગ્ર ઘટના અંગે મને જાણ કરવામાં આવી હતી. જ્યારે હું અહીં હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે આગની જ્વાળાઓ કરતા પણ વધુ માત્ર ધુમાડાઓ જ જોવા મળતો હતો. ત્યાર પછી આગ પર કાબૂ મેળવીને અમે હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પલંગ પર એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Read Next Story