એપશહેર

શહેરમાં ગાંધીજયંતિ નિમિત્તે વ્યાખ્યાન અને ભજનો યોજાશે

I am Gujarat 27 Sep 2016, 2:58 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat ahmedabad other news 340
શહેરમાં ગાંધીજયંતિ નિમિત્તે વ્યાખ્યાન અને ભજનો યોજાશે


2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (મોહનદાસ કરમચંદ ગાંધી)ના 148મા જન્મદિન નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં વ્યાખ્યાન, ભજનો, શાસ્ત્રીય સંગીત સહિતના કાર્યક્રમો યોજાશે.

ગુણવંત શાહનું વ્યાખ્યાન
‘સત્યના પ્રયોગો’ થકી વિશ્વને અહિંસાનો નવો રાહ ચીંધનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિને જાણીતા ચિંતક ગુણવંત શાહના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘મહાત્મા ગાંધી: એક ઇશ્વરીય ભેટ’ વિષય પર યોજાનારા આ વ્યાખ્યાનનું આયોજન સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 2 ઓક્ટોબર, સાંજે 5 વાગ્યે, ભાઇકાકા ભવન, લૉ ગાર્ડન ખાતે યોજાશે.

ગાંધી આશ્રમ ખાતે કાર્યક્રમો
સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ 1 ઓક્ટોબર સાંજે 6 વાગ્યે કબીરના ભજનો રજૂ થશે. જાણીતા શબનમ વીરમાણી આ ભજનો રજૂ કરશે. 2 ઓક્ટબરે સવારે 8.30 વાગ્યે સર્વધર્મ પ્રાર્થના થશે. જ્યારે સાંજે 5.30 વાગ્યે ધ્રુપદ સંગીત માટે જાણીતા ગુંદેચા બંધુઓનું શાસ્ત્રીય ગાયન રજૂ થશે. સ્પીકમેકે દ્વારા આયોજિત આ કાર્યક્રમનો વિષય ‘એક છોટીસી બૂંદ અપને વિરાસત કી’ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમો જાહેર જનતા માટે છે, તેમાં રસ ધરાવતા લોકો હાજર રહી શકશે.

આઇઆઇએમ ઇનસાઇટ
27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આઇઆઇએમ અમદાવાદ ખાતે ઇનસાઇટ 2016 માર્કેટિંગ કોંકલેવનું આયોજન થઇ રહ્યું છે, જેના ભાગરૂપે 2 ઓક્ટોબરના રોજ ઇનસાઇટ મેલાના ભાગરૂપે રાજસ્થાનના માંગણિયાર સમાજના બાળકો સૂફી સંગીત રજૂ કરશે. તેમજ ગીરના સિદી બાદશાહ સમાજના લોકો સિદી ધમાલ નૃત્ય રજૂ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો