એપશહેર

અમદાવાદઃ જનતા સાથે કેવું વર્તન થાય છે તે જોવા વેશપલટો કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા કમિશનર

પોલીસ કમિશનરે પોલીસ સ્ટેશનના ફરજ પરના કર્મચારીને કહ્યું કે, 'મારો ફોન ચોરાઈ ગયો છે, મારે ફરિયાદ આપવી છે.'

I am Gujarat 12 Oct 2020, 4:21 pm
અમદાવાદઃ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં લોકો સાથે પોલીસ કેવું વર્તન કરે છે તે જાણવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ખુદ રવિવારે ત્રણ પોલીસ સ્ટેશનમાં સામાન્ય ફરિયાદની જેમ માસ્ક પહેરીને પહોંચ્યા હતા. તેમણે જે ત્રણ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી તેમાં ચાંદખેડા, સાબરમતી અને રાણીપ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
I am Gujarat ahmedabad police commissioner reached 3 police stations to lodge a complaint of missing mobile phone
અમદાવાદઃ જનતા સાથે કેવું વર્તન થાય છે તે જોવા વેશપલટો કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા કમિશનર


પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાદા ડ્રેસમાં અને ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચીને ફરજ પરના કર્મચારીને કહ્યું કે, 'મારો ફોન ચોરાઈ ગયો છે, મારે ફરિયાદ આપવી છે.' ત્રણેય પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ કોઈ પણ આનાકાની વગર નોંધવામાં આવી હતી.

પોલીસ કમિશનર જ્યારે ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને કોઈ ઓળખી શક્યા નહોતા. પરંતુ અંતે જ્યારે તેમને ખબર પડી કે ખુદ પોલીસ કમિશનર ફરિયાદ લખાવવા માટે આવ્યા હતા તો પોલીસ કર્મીઓમાં ફફટાડ ફેલાયો હતો.

આ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જ્યારે તેઓ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયા હતા ત્યારે પોલીસ કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી થાય તે પહેલા જ સાદા ડ્રેસમાં ફરી રહ્યા હતા. તેવી જ રીતે બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ પર મોડા હાજર થયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'ત્યાર બાદ મે મારી ઓળખ આપી અને તેમને સમજાવ્યું કે શિફ્ટનો સમય પૂરો થાય તે પહેલા કપડા ચેન્જ કરવા નહી અને શિફ્ટના ટાઈમ મુજબ સમયસર હાજર થવું. આ પહેલી વખત નથી, આગળ પણ ફરી આવી રીતે તપાસ કરીશ. જાણવા માંગતો હતો કે પોલીસ સામાન્ય લોકો સાથે કેવો વ્યવહાર કરે છે. આ ઉપરાંત અન્ય બાબતોએ આ અનુભવ સારો રહ્યો. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આનાકાની કરવામાં આવી નથી.'

Read Next Story