અમદાવાદ: કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને લીધે અમદાવાદ-સુરત રૂટની એસટી અને ખાનગી બસ સેવા 7 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મીડિયા રિપોર્ટ મુજબ બસાનો સંચાલન અંગે ઉચ્ચ કક્ષાએ બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ એસટી નિગમ દ્વારા આજથી વધુ 7 દિવસ સુધી બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જોકે, કોમર્શિયલ વાહનો ચાલુ રહેશે.
ગુજરાતમાં કોરોના વાયરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત સુરતમાં કેસની સંખ્યા છેલ્લા ઘણા દિવસોથી કેસની સંખ્યા 200થી નીચેની રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોના વાયરસના 181 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 143 નવા કેસ નોંધાયા છે. જોકે, સુરતમાં મૃત્યુઆંકમાં થોડો ઘટાડો થયો છે. આ ઉપરાંત વડોદરામાં 87 નવા કેસ સામે આવ્યા છે.
જોકે, અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિની નિયંત્રણમાં રહેલી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 143 નવા કેસ નોંધાયા છે. જોકે, તેની સામે 223 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી ચાર દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના 23 કેસ નોંધાયા છે અને 12 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
સુરતમાં પરિસ્થિતિમાં થોડી રાહત છે પરંતુ હજી સુધી સંપૂર્ણ પણે નિયંત્રણમાં આવી નથી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 181 કેસ સામે આવ્યા છે અને 151 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના કારણે સુરતમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરત જિલ્લામાં પણ કેસની સંખ્યા 50ની ઉપર નોંધાઈ છે. સુરત જિલ્લામાં 70 નવા કેસ સામે આવ્યા છે અને 47 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં એક વ્યક્તિનું નિધન થયું છે.
ગુજરાતમાં કોરોના વાયરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત સુરતમાં કેસની સંખ્યા છેલ્લા ઘણા દિવસોથી કેસની સંખ્યા 200થી નીચેની રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોના વાયરસના 181 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 143 નવા કેસ નોંધાયા છે. જોકે, સુરતમાં મૃત્યુઆંકમાં થોડો ઘટાડો થયો છે. આ ઉપરાંત વડોદરામાં 87 નવા કેસ સામે આવ્યા છે.
જોકે, અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિની નિયંત્રણમાં રહેલી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 143 નવા કેસ નોંધાયા છે. જોકે, તેની સામે 223 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી ચાર દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના 23 કેસ નોંધાયા છે અને 12 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
સુરતમાં પરિસ્થિતિમાં થોડી રાહત છે પરંતુ હજી સુધી સંપૂર્ણ પણે નિયંત્રણમાં આવી નથી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 181 કેસ સામે આવ્યા છે અને 151 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના કારણે સુરતમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરત જિલ્લામાં પણ કેસની સંખ્યા 50ની ઉપર નોંધાઈ છે. સુરત જિલ્લામાં 70 નવા કેસ સામે આવ્યા છે અને 47 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં એક વ્યક્તિનું નિધન થયું છે.