એપશહેર

પેટાચૂંટણીમાં ધબડકાથી અમિત શાહ નારાજ, જીતુ વાઘાણીને ખખડાવ્યા

નવરંગ સેન | I am Gujarat 25 Oct 2019, 4:23 pm
અમદાવાદ: આજે ગુજરાત આવી પહોંચલા ગૃહમંત્રી અમિત શાહે પેટાચૂંટણીમાં ભાજપની ત્રણ બેઠકો પર થયેલી હાર મામલે પ્રદેશ પ્રમુખ વાઘાણીનો ઉધડો લીધો છે. અમિત શાહે સરકિટ હાઉસમાં રુપાણી અને વાઘાણી સાથે બંધબારણે બેઠક કરી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો સૂત્રોનું માનીએ તો, છ બેઠકો પરની પેટાચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો ટાર્ગેટ હોવા છતાં અડધી બેઠકો પર હાર કેમ થઈ તે સવાલ કરી અમિત શાહે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અલ્પેશ ઠાકોર જેવા પક્ષપલ્ટુઓને ટિકિટ આપવાથી લઈને જે ત્રણ બેઠકો પર ભાજપની હાર થઈ છે તેમાં શું કચાશ રહી ગઈ તેનો રિપોર્ટ પણ અમિત શાહે માગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમિત શાહ આમ તો પોતાના પરિવાર સાથે દિવાળી મનાવવા માટે ગુજરાત આવી પહોંચ્યા હતા. જોકે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સાથી પક્ષોને મનાવવામાં તેમની જરુર ઉભી થઈ હોવાના કારણે તેઓ ગુજરાતનો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પાછા ફર્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો