નવગુજરાત સમય > ગાંધીનગર
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આજે અમદાવાદ એરપોર્ટ ખાતે એવો સંકેત આપ્યો હતો કે, કેન્દ્રીય પ્રધાનમંડળના કરાયેલા વિસ્તરણ માટે પોતાના પ્રધાન પદનું બલિદાન આપનાર મોહન કુંડારિયાએ કાર્યકર્તાઓ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પક્ષ તેમની શક્તિનો સંગઠન માટે ઉપયોગ કરશે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં ગુજરાતના બે પ્રધાનો કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યપ્રધાન મોહન કુંડારિયા તથા આદિજાતિ કલ્યાણ રાજ્યપ્રધાન મનસુખ વસાવાનો સમાવેશ કરાયો નથી. રાષ્ટ્રીય ભવનમાં શપથવિધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી સાથે જ ગુજરાત પરત આવેલા ત્રણેય કેન્દ્રીય પ્રધાનો પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તથા જશવંતસિંહ ભાભોરનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કુંડારિયાને બિરદાવ્યા હતા અને કહ્યું કે, ‘હજુ તો કેન્દ્રીયપ્રધાન તરીકે તેઓ માંડ બેઠાં હતા ત્યાં જ એમને કહેવાયું કે તમારે ઊભા થઇ જવાનું છે, એટલે પળનોય વિલંબ કર્યા વગર તેઓ ઊભા થઇ ગયા. આવા કર્મઠ કાર્યકરોના કારણે જ પક્ષ આટલો મજબૂત બની શક્યો છે. પક્ષ હંમેશા આવા બલિદાન આપનારાઓની કદર કરે છે એમ કુંડારિયાની શક્તિનો હવે સંગઠનમાં ઉપયોગ કરવામાં આવશે.’ અલબત્ત, મનસુખ વસાવાનો ઉલ્લેખ કરવાનું તેમણે ટાળ્યું હતું. રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાત ભાજપ, ગુજરાતની જનતા વતીથી કર્મઠ કાર્યકરો એવા ત્રણ સાંસદોને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ આ પ્રસંગે વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ આઇ.કે. જાડેજા, વીસ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન કૌશિક પટેલ, શહેર પ્રમુખ જગદીશ પંચાલ, પ્રધાનમંડળના સભ્યો સહિતના અગ્રણી નેતાઓ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આજે અમદાવાદ એરપોર્ટ ખાતે એવો સંકેત આપ્યો હતો કે, કેન્દ્રીય પ્રધાનમંડળના કરાયેલા વિસ્તરણ માટે પોતાના પ્રધાન પદનું બલિદાન આપનાર મોહન કુંડારિયાએ કાર્યકર્તાઓ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પક્ષ તેમની શક્તિનો સંગઠન માટે ઉપયોગ કરશે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં ગુજરાતના બે પ્રધાનો કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યપ્રધાન મોહન કુંડારિયા તથા આદિજાતિ કલ્યાણ રાજ્યપ્રધાન મનસુખ વસાવાનો સમાવેશ કરાયો નથી. રાષ્ટ્રીય ભવનમાં શપથવિધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી સાથે જ ગુજરાત પરત આવેલા ત્રણેય કેન્દ્રીય પ્રધાનો પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તથા જશવંતસિંહ ભાભોરનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કુંડારિયાને બિરદાવ્યા હતા અને કહ્યું કે, ‘હજુ તો કેન્દ્રીયપ્રધાન તરીકે તેઓ માંડ બેઠાં હતા ત્યાં જ એમને કહેવાયું કે તમારે ઊભા થઇ જવાનું છે, એટલે પળનોય વિલંબ કર્યા વગર તેઓ ઊભા થઇ ગયા. આવા કર્મઠ કાર્યકરોના કારણે જ પક્ષ આટલો મજબૂત બની શક્યો છે. પક્ષ હંમેશા આવા બલિદાન આપનારાઓની કદર કરે છે એમ કુંડારિયાની શક્તિનો હવે સંગઠનમાં ઉપયોગ કરવામાં આવશે.’ અલબત્ત, મનસુખ વસાવાનો ઉલ્લેખ કરવાનું તેમણે ટાળ્યું હતું. રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાત ભાજપ, ગુજરાતની જનતા વતીથી કર્મઠ કાર્યકરો એવા ત્રણ સાંસદોને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો. પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ આ પ્રસંગે વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ આઇ.કે. જાડેજા, વીસ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન કૌશિક પટેલ, શહેર પ્રમુખ જગદીશ પંચાલ, પ્રધાનમંડળના સભ્યો સહિતના અગ્રણી નેતાઓ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.