એપશહેર

21 સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા મૌલિક ત્રિવેદીનું યુવાવયે અવસાન

I am Gujarat 19 Oct 2020, 1:32 pm
છેલ્લા અમુક વર્ષોથી યુવાઓમાં સરકારી નોકરી પ્રત્યેનો ક્રેઝ વધેલો જોવા મળી રહ્યો છે. સરકારના વિવિધ વિભાગોમાં સારી પોસ્ટ પર નોકરી મેલવવા માટે અમદાવાદ, ગાંધીનગર સહિત ઘણા શહેરોમાં ક્લાસ ચાલતા હોય છે, જેમાં જઈને યુવાઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. ગાંધીનગરમાં આવા જ એક સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવતા યુવાનનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
I am Gujarat Maulik Trivdi
મૌલિક ત્રિવેદીની તસવીર


ગાંધીનગરના સેક્ટર-22માં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવતા અનામિકા એકેડમીના સંચાલક મૌલિક ત્રિવેદીનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થઈ ગયું. જોકે તેમનો અકસ્માત ક્યાં અને કેવી રીતે થયો હતો તે વિશે વધુ જાણકારી મળી શકી નહોતી. મૌલિક 21 જેટલી સરકારી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા હતા. તેમણે છેલ્લે DySOની સરકારી નોકરી પાસ કરી હતી, જેમાં તેઓ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યા હતા. જોકે આ બાદ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવા તેમણે પોતાની સરકારી પગારની નોકરી છોડીને અનામિકા એકેડમી શરૂ કરી હતી.

મૌલિક ત્રિવેદીના પિતરાઈ ભાઈએ IamGujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, રવિવારે રાત્રે 9 વાગ્યના સુમારે મૌલિક પ્રતિક મોલ પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા બાઈક સાથે ટક્કર થતા સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું. તેમના પરિવારમાં માતા, પતિની તથા દોઢ વર્ષનું એક સંતાન છે. તેમના પત્ની પણ DySO છે.

મૌલિક ત્રિવેદી 2010થી ગાંધીનગરમાં અનામિકા એકેડમી ચલાવી રહ્યા હતા અને ઉમેદવારોને PSI-ASI, કોન્સ્ટેબલ, ક્લાર્ક, તલાટી, TET, TAT તથા હાઈકોર્ટ ક્લાર્સ સહિતની પરીક્ષાઓ માટે તૈયારી કરાવતા હતા. અત્યાર સુધીમાં તેમના પાસેથી માર્ગદર્શન લઈને ઘણા વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષા પાસ કરીને DySO, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી જેવી પોસ્ટ પર કાર્યરત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો