એપશહેર

કોરોનાઃ દશેરાએ દુકાનમાં ઊભા રહીને નહીં માણી શકો ફાફડા-જલેબીની મજા

દશેરા પર તમે ઘણા લોકોને દુકાનોની બહાર ઉભા રહીને ફાફડા-જલેબીની જયાફત માણતા જોયા હશે. પરંતુ મહામારીના કારણે આ વખતે AMCએ આ માટે મંજૂરી આપી નથી.

TNN 24 Oct 2020, 8:01 am
અમદાવાદઃ રવિવારે (25 ફેબ્રુઆરી) દશેરા છે. આ દિવસે ગુજરાતીઓ મન ભરીને ફાફડા-જલેબીની લિજ્જત માણતા હોય છે. દશેરાએ દિવસ દરમિયાન ફાફડા-જલેબીની દુકાનોમાં ભારે ભીડ જોવા મળે છે. તો દુકાનદારો પણ ગ્રાહકોને પહોંચી વળવા માટે આજથી જ તૈયારીઓ શરુ કરી દેશે.
I am Gujarat snacks shop


હાલ મહામારી ચાલી રહી છે ત્યારે ફાફડા અને જલેબીની ગુણવત્તાની ચકાસણી કરવા સિવાય અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) ગ્રાહકો પર સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પણ લાગુ કર્યો છે.

AMCએ શુક્રવારે કહ્યું હતું કે, દશેરાના તહેવાર પર ગ્રાહકોને ફાફડા-જલેબીની દુકાનોમાં ઊભા રહીને આનંદ માણવાની મંજૂરી અપાશે નહીં.

શુક્રવારે, મહાનગરપાલિકાના અધિકારીઓએ 24 જેટલી દુકાનોમાંથી બેસન, ફાફડા. જલેબી, તેલ, ઘી તેમજ અન્ય સામગ્રીઓના સેમ્પલ લીધા હતા. AMCએ ઈસ્કોન ગાંઠીયા રથ, લક્ષ્મી ગાંઠીયા રથ અને સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ સહિતની દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા.

લેવાયેલા કુલ 77 સેમપ્લમાંથી 21 સેમ્પલ બેસન અને ફાફડા માટે વપરાતી અન્ય સામગ્રીના હતા. લેવામાં આવેલા અન્યસેમ્પલમાં 14 મીઠાઈઓના અને 10 ફાફડા બનાવવા માટે વપરાયેલા મસાલાના હતા.

AMCએ કહ્યું કે, આ ડ્રાઈવ શનિવારે અને રવિવારે પણ ચાલુ રહેશે. 'ગ્રાહકોની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને દરેકે માસ્ક પહેર્યું હોય તેની ખાતરી કરવાની જવાબદારી દુકાનના માલિકોની છે', તેમ AMCના અધિકારીએ કહ્યું હતું.

AMCએ કહ્યું કે, ગ્રાહકોને રસ્તા પર પોતાના વ્હીકલ પાસે ઉભા રહીને અથવા બેસીને પણ ફાફડા-જલેબી ખાવાની મંજૂરી અપાશે નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો