એપશહેર

આગની ઘટનામાંથી અમદાવાદીઓ નથી લઈ રહ્યા બોધપાઠ? 40% બિલ્ડિંગમાં નથી ફાયર સેફ્ટી

મિત્તલ ઘડિયા | TNN 22 Jan 2020, 8:39 am
હિમાંશુ કૌશિક, અમદાવાદઃ સુરતમાં મંગળવારે વહેલી સવારે રઘુવીર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી, જેણે ફરીથી બહુમાળીય બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના ઉપકરણોના મુદ્દા પર ધ્યાન દોર્યું છે. અમદાવાદમાં 2700 જેટલી બિલ્ડિંગો છે જેમાંથી 40 ટકા પાસે ફાયર વિભાગનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (AFES)ના સીનિયર અધિકારીએ કહ્યું કે, 800 જેટલી બિલ્ડિંગ કોમર્શિયલ છે. જ્યારે 30 ટકા રેસિડેન્શિયલ અને 40 ટકા રેસિડેન્શિયલ-કોમર્શિયલ બિલ્ડિંગોએ હજુ પણ ફાયર સેફ્ટીનું NOC લીધું નથી. અધિકારીઓએ કહ્યું કે, રેસિડેન્શિયલ બિલ્ડિંગોને તેઓ માત્ર નોટિસ આપી શકે છે, તેની સીલ કરી શકતા નથી કે ભારે ભરખમ દંડ પણ ફટકારી શકતા નથી.નામ જ જણાવવાની શરતે એક અધિકારીએ કહ્યું કે, આ મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિનો પણ ગંભીર અભાવ છે અને તેના કારણે અધિકારીઓ પણ કડક કાર્યવાહી કરવામાં અસમર્થ છે. અધિકારીએ કહ્યું કે, 2018માં AFESના અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ તેમને શહેરમાં ફાયર સેફ્ટીનો ભંગ કરવા અંગનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. AMCના અધિકારીઓએ બાદમાં ફાયર વિભાગને 800 બહુમાળીય બિલ્ડિંગોને ટાર્ગેટ કરવાનું પણ કહ્યું હતું. ઓગસ્ટ 2018માં AFESના અધિકારીઓને તેવી બિલ્ડિંગોનું લિસ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું જેમણે લાઈસન્સ રિન્યૂ કરાવ્યું નથી તેમજ ફાયર સેફ્ટીના ઉપકરણો લગાવ્યા નથી.જે બાદ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને ઘણી બિલ્ડિંગોને નોટિસ ફટકારીને ફાયર સેફ્ટી NOC રિન્યૂ કરાવવાનું કહ્યું હતું. જો કે, ડ્રાઈવના 18 મહિના બાદ અધિકારીઓએ કહ્યું હતું કે, શહેરમાં હજુ પણ 30 ટકા રેસિડેન્શિયલ બિલ્ડિંગો એવી છે જેની પાસે વેલિડ NOC નથી.અધિકારીઓએ કહ્યું કે, ફાયર વિભાગમાં 778 જેટલી પોસ્ટ છે, જેમાંથી લગભગ 39 ટકા ખાલી છે. AMCની મર્યાદા વધી હોવા છતાં પોસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. અધિકારીએ કહ્યું કે, શહેરમાં 21,683 લોકો દીઠ એક જ ફાયરમેન છે.અધિકારીઓએ કહ્યું કે, AMC, કોર્પોરેશનની મર્યાદામાં વધારો થતાં ભરતી કરે છે, જ્યારે ફાયર વિભાગની સંપૂર્ણ રીતે અવગણના કરવામાં આવે છે. આ સિવાય, સુરક્ષા કર્મચારી તરીકે 20 કરતાં ઓછા ફાયરમેનને કોર્પોરેશનમાં નિયુક્ત કરવામાં આવતા નથી.AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું કે, ‘ફાયર સેફ્ટી એક એવો મુદ્દો છે, જેની ઉપેક્ષા લોકો દ્વારા કરવામાં આવે છે. અમે નોટિસ ફટકારીએ છીએ પરંતુ લોકો તેમાં રહેતા હોવાથી તેને સીલ કરી શકતા નથી’.વધુમાં તેમણે કહ્યું કે, ‘આ વખતે અમે ફાયર વિભાગ પ્રત્યે વધારે ધ્યાન રાખી રહ્યા છીએ અને વધારે ફાયર સ્ટેશન સ્થાપવામાં આવશે. તેમજ જે પોસ્ટ ખાલી પડી છે, તેની વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવશે’.ભજન ગાયિકા અલ્પા પટેલના ડાયરામાં થયો નોટોનો વરસાદ
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story