એપશહેર

Gujarat Rain Prediction: દિવાળી ટાણે વાતાવરણમાં પલટાના યોગઃ બંગાળની ખાડીમાં હવાના દબાણના લીધે થઈ શકે છે વરસાદ

Predict Rain During Diwali: ચાલુ અઠવાડિયાથી જ દિવાળી પહેલાના તહેવારોની શરુઆત થઈ જશે, જ્યારે આગામી અઠવાડિયાની શરુઆતમાં દિવાળી અને નવાવર્ષના તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના જ્યોતિષ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હવામાન વિભાગે આગામી 5 દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. દિવાળી નજીક આવતા ઠંડી પણ ધીમે-ધીમે જોર પકડી રહી છે.

Edited byTejas Jingar | TNN 20 Oct 2022, 8:39 am

હાઈલાઈટ્સ:

  • દિવાળીના તહેવારો દરમિયાન વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ
  • જ્યોતિષ દ્વારા રાજ્યના દક્ષિણ તથા સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ થવાની વકી
  • દિવાળી નજીક આવી રહી છે ત્યારે હવામાન વધારે ઠંડું પણ થઈ રહ્યું છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Gujarat Weather Forecast
રાજ્યમાં દિવાળીમાં વરસાદ થવાની સંભાવના (તસવીરઃ IMD)
ચોમાસાએ વિદાય લીધા બાદ હવે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે અને ઠંડીની શરુઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે વાતાવરણ વધારે ઠંડું થઈ રહ્યું છે. આવામાં દિવાળી ટાળે બંગાળની ખાડીમાં આવતા વારંવાર હવાના દબાણને લીધે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં કેરળ, તામિલનાડુ,ઓરિસા, કર્ણાટકાની સાથે ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેના લીધે આગામી સમયમાં ઠંડીનું જોર વધશે.
નવગુજરાત સમયના રિપોર્ટ્સ મુજબ બંગાળના ઉપસાગરમાં હવામાનનું દબાણ ઉભું થવાથી અને દક્ષિણ ચીનમાં ચક્રવાત સર્જાતા પૂર્વીય ભારત અને દક્ષિણ પૂર્વીય તટ પર સામાન્ય વાવાઝોડું કે વરસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરના પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા કે કમોસમી વરસાદ થઈ શકે છે. જ્યોતિષ મુજબ ગ્રહોના આધારે આ વકી કરવામાં આવી રહી છે.

દિવાળીના તહેવારો દરમિયાન હવામાનમાં પલટો થવાના યોગ સાથે કેરળ, તામિલનાડુ, ઓરિસા, કર્ણાટકમાં વરસાદ થવાની સંભાવના સાથે રાજ્યમાં હવામાન આગામી 5 દિવસ સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ 5 દિવસ દરમિયાન હવામાનમાં ભારે પલટા અંગે કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી. જોકે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવા વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ અરબ સાગરથી ભેજવાળા પવન ફૂંકાશે અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દિવાળીના તહેવારોમાં નવાવર્ષની શરુઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જોકે, હવામાન વિભાગ દ્વારા હજુ કમોસમી વરસાદ અંગે કોઈ આગાહી કરી નથી. અગાઉ અંબાલાલ પટેલે પણ ચોમાસું પૂર્ણ થયા પછી પણ વર્ષ 2023 સુધી કમોસમી વરસાદ થવાની અને હવામાનમાં પલ્ટો થવાની આગાહી કરી હતી.

Read Next Story