એપશહેર

અમદાવાદ એરપોર્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોને ક્વોરન્ટાઈનથી મુક્તિ આપી દેવાઈ?

Yogesh Gajjar | I am Gujarat 29 Jun 2020, 9:13 am
દેશમાં કોરોના વાયરસની મહામારી સતત વધી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં બહારથી આવતા મુસાફરોને ફરજિયાત ક્વોન્ટાઈનમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી અન્ય રાજ્યોમાંથી આવતા પેસેન્જરોને ક્વોન્ટાઈનમાંથી મુક્તિ આપી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત મિશન વંદે ભારત અંતર્ગત વિદેશથી પરત આવેલા મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ક્વોરન્ટાઈન સેન્ટર તો લઈ જવાય છે પરંતુ ત્યાંથી પણ ઘણીવાર વહેલા જ મુક્તિ આપી દેવાય છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:દેશમાં ફેલાયેલી કોરોનાની મહામારી વચ્ચે એક બાજુ સરકાર લોકોને ઘરમાં જ રહેવા માટે જણાવી રહી છે. ત્યારે બીજી તરફ અન્ય રાજ્યોમાં બહારથી આવતા મુસાફરોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જનારા લોકો ફરજિયાત ક્વોરન્ટાઈન સેન્ટરમાં અથવા ઘરમાં ક્વોરન્ટાઈન કરાય છે.નવગુજરાત સમયના અહેવાલ મુજબ, અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટથી આવતા મુસાફરોને કોઈપણ પ્રકારની ચેતવણી કે ક્વોરન્ટાઈન માટેનું સૂચન આપવામાં આવતું નથી. પેસેન્જર એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ઈચ્છા મુજબ જવું હોય તે જગ્યાએ જઈ શકે છે.એરપોર્ટ તરફથી મળતી માહિતી મુજબ, મિશન વંદે ભારત અંતર્ગત વિદેશથી આવેલા ભારતીય નાગરિકોને એરપોર્ટ પરથી સીધા જ ક્વોરન્ટાઈન સેન્ટર મોકલાય છે. પરંતુ આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ, અહીંથી પણ તેમને વહેલા જ મોકલી દેવામાં આવે છે.

Read Next Story