એપશહેર

ગુજરાતમાં 6 બેઠકો પરની પેટાચૂંટણીમાં એવરેજ 51% વોટિંગ, અમરાઈવાડીમાં સૌથી ઓછું

Yogesh Gajjar | TNN 22 Oct 2019, 8:00 am
ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી 6 વિધાનસભાની બેઠકો પરની પેટાચૂંટણીમાં મતદાતોઓનો મોળો પ્રતિસાદ રહ્યો હતો. સોમવારે યોજાયેલી ચૂંટણીમાં એવરેજ 51 ટકા મતદાન થયું હતું. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા 66.75 ટકા મતદાનની સરખામણીએ આ મોટો ઘટાડો કહી શકાય. ચૂંટણી કમિશનના આંકડા મુજબ સૌથી વધારે થરાદમાં (68.95 ટકા) મતદાન થયું હતું. જ્યારે અમરાઈવાડીમાં (31.53 ટકા) સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાએ કહ્યું કે છ વિધાનસભા બેઠકો પર ચૂંટણીનું આયોજન કરાયું હતું તેમાંથી કોઈમાં પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
ઓછું મતદાન થવા પર ક્રિષ્નાએ કહ્યું કે, સ્થાનિક ઓફિસર્સ પાસેથી મળેલા પ્રતિસાદ મુજબ દિવાળીનો તહેવાર નજીક હોવાના કારણે ઘણા વોટર્સ પોતાના વતન જતા રહ્યા છે. જ્યારે હાલમાં જ લોકસભાની ચૂંટણી યોજાઈ હોવાના કારણે કેટલાક વોટર્સે ફરીથી મતદાન કરવામાં ખાસ રસ દાખવ્યો નહોતો. ભાજપ બધી સીટો પર જીતનો વિશ્વાસ ધરાવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ મોટાભાગની સીટોમાં જીતશે તેવી આશા કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો