એપશહેર

અમદાવાદ: મોડર્ન લાઈફસ્ટાઈલથી કંટાળીને બેંક મેનેજરના પત્નીએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદમાં આપઘતાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આધુનિક જીવનશૈલીથી કંટાળેલા મહિલાએ મોતને વહાલું કર્યું હતું. ડાયરીમાં તેમણે આધુનિક જીવનશૈલી સાથે તાલમેલ ના બેસાડી શક્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

TNN 27 Aug 2020, 9:40 am
અમદાવાદ: વસ્ત્રાપુરમાં આવેલા કાસા વ્યોમા એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલાએ ઘરના પૂજા રૂમમાં દુપટ્ટાથી પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી. કાસા વ્યોમા એપાર્ટમેન્ટના 9મા માળે રહેતા મહિલાએ મંગળવારે બપોરે જીવન ટૂંકાવ્યું હતું, તેમ બુધવારે પોલીસે જણાવ્યું. મૃતક મહિલાની ઓળખ મનીષા પંચારિયા (47 વર્ષ) તરીકે થઈ છે. તેમના પતિ રાકેશ પંચારિયા એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાના સિનિયર મેનેજર છે.
I am Gujarat woman suicide
ઈનસેટ તસવીરમાં મૃતક મહિલા


10 મહિના પહેલા રાકેશ પંચારિયાની બદલી થતાં પરિવાર અમદાવાદ આવ્યો હતો. પરિવાર મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદ આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, 19 વર્ષીય દીકરી શ્રેયાને ડિસ્ટર્બ ના કરવાનું કહીને મનીષાબેન ઘરના પૂજા રૂમમાં ગયા હતા. બપોરે 1.45 વાગ્યાની આસપાસ રિયાએ બીજી ચાવીથી પૂજા રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેની મમ્મીનો મૃતદેહ પંખા સાથે લટકતો જોયો.

આ દ્રશ્ય જોયા પછી તેણે પિતાને ફોન કર્યો હતો જે તાબડતોબ ઘરે આવી પહોંચ્યા હતા. ઘરે આવીને બપોરે 2.39 કલાકે રાકેશ પંચારિયાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. આત્મહત્યા પાછળના કારણો જણાવતા પોલીસે કહ્યું, "મનીષા ખૂબ ધાર્મિક સ્વભાવના મહિલા હતા અને તેઓ મોડર્ન લાઈફને સ્વીકારી નહોતા શકતા. તેમણે ડાયરીમાં 22 પાના લખ્યા છે જેમાં મોડર્ન લાઈફસ્ટાઈલ સાથે તાલમેલ ના બેસાડી શક્યા હોવાનો ઉલ્લેખ છે."

પોલીસના જણાવ્યા મુજબ, તેમણે ડાયરીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમના મોત પછી દીકરી અને પતિને જવાબદાર ના માનવામાં આવે કારણકે તેઓ સૌથી વધુ દુઃખી હશે. પોલીસે કહ્યું, "તેમણે ડાયરીમાં ઉલ્લેખ કર્યો છે કે, મોડર્ન સમયમાં બનતા વલ્ગર ગીતો, વિડીયો અને ફિલ્મો તેમને અને અન્ય ધાર્મિક વૃત્તિના લોકોને પરેશાન કરી મૂકે છે. તેમણે લખ્યું કે, તેઓ જિંદગીથી કંટાળી ગયા હતા અને તેમના મોત માટે કોઈને જવાબદાર ના ગણવા." વસ્ત્રાપુર પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Read Next Story