એપશહેર

અમદાવાદમાં રાત્રી કરફ્યુ બાદ હવે બારેજામાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું

બારેજા નગરપાલિકા વિસ્તારના વેપારીઓએ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે

I am Gujarat 19 Nov 2020, 7:28 pm
અમદાવાદઃ દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે અને કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે બારેજા નગરપાલિકાએ પણ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
I am Gujarat bareja nagarpalika self lockdown due to covid19 case hike
અમદાવાદમાં રાત્રી કરફ્યુ બાદ હવે બારેજામાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું


બારેજામાં છેલ્લા 3 દિવસમાં આશરે 50 કોરોનાના કેસ સામે આવ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બારેજા નગર પાલિકાના વેપારીઓ દ્વારા સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી 21 નવેમ્બરતી 30 નવેમ્બર સુધી સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધી દુકાનો, હોટલો, શાકભાજી, પાર્લર તેમજ તમામ નાના મોટા ધંધા ચાલુ રહેશે ત્યાર બાદના સમયમાં તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઈમરજન્સી સેવાઓમાં દવાખાના તથા મેડીકલ સ્ટોર્સ આખો દિવસ ચાલુ રાખવામાં આવશે. તમામ જાહેર સ્થળો તથા કાર્યસ્થળોએ માસ્ક નહીં પહેરવામાં આવે તો 500 રૂપયાનો દંડ કરવામાં આવશે. તેમજ જાહેર જગ્યા પર થુંકવા બદલ પણ 500 રૂપિયાનો દંડ લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નવી સૂચના ન આવે ત્યાં સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો