એપશહેર

ગઝલ ગાયિકા બેગમ અખ્તરની 106મી જન્મજયંતિઃ બાજાણામાં આજે પણ છે તેમનો વિશ્રામ ગૃહ

લેજન્ડરી ગઝલ ગાયિકા અખ્તરીબાઈ ફૈઝાબાદીની આજે 106મી જન્મજયંતિ છે. તેમનો ગુજરાત સાથેનો સંબંધ જૂનો છે તે વાત ખૂબ ઓછા જાણતા હશે. તેમનો વિશ્રામ ગૃહ હજુ પણ બાજાણામાં છે.

Reported byBharat Yagnik | Written byમિત્તલ ઘડિયા | TNN 7 Oct 2020, 11:42 am
ભરત યાજ્ઞિક, અમદાવાદઃ લેજન્ડરી ગઝલ ગાયિકા અખ્તરીબાઈ ફૈઝાબાદી, કે જેઓ બેગમ અખ્તર તરીકે જાણીતા છે તેમણે પોતાના અંતિમ શ્વાસ વર્ષ 1969માં અમદાવાદમાં લીધા હતા, જે એક જાણીતી હકીકત છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, તેમનો ગુજરાત સાથેનો સંબંધ સંગીત ક્ષેત્રે નામના મેળવી તે પહેલાનો હતો.
I am Gujarat begum akhtars rest house is still in bajna known as akhtar no ordo
ગઝલ ગાયિકા બેગમ અખ્તરની 106મી જન્મજયંતિઃ બાજાણામાં આજે પણ છે તેમનો વિશ્રામ ગૃહ


અમદાવાદથી 100 કિમીના અંતરે આવેલા બાજાણામાં ગઝલ ક્વીનને કરિયરની શરુઆતમાં આશરો આપવામાં આવ્યો હતો, જ્યારે તેઓ માત્ર અખ્તરીબાઈ હતી. બાજાણાના છેલ્લા શાસક કમલખાન મલેક હતા, જેમના નિમંત્રણ પર તેઓ બાજાણાની મુલાકાતે આવતા હતા અને ત્યાં રહેતા હતા.

106 વર્ષ પહેલા 7 ઓક્ટોબરે જન્મેલા ગાયિકાના વારસાને બાજાણા રાજ્ય સમય સાથે ભૂલી ગયું હશે, પરંતુ સંપૂર્ણ રીતે નહીં. વિશ્રામ ગૃહ કે જ્યાં બેગમ રહેતા હતા તે આજે પણ 'અખ્તરનો ઓરડો' તરીકે જાણીતો છે. વિશ્રામ ગૃહને 1060માં વેટરિનરી હોસ્પિટલમાં બદલવામાં આવ્યું હતું. 2001ના ભૂકંપ વખતને બિલ્ડિંગને ખૂબ નુકસાન પહોંચ્યું હતું અને તેનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું.

અખ્તરનો ઓરડો



કમલખાનના એક વંશજ ફરહાદ ખાને અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'અમારા પરદાદા બેગમ અખ્તરને કેવી રીતે મળ્યા અથવા તેમને આશરો આપવાનું પસંદ કર્યું તે વિશે અમે જાણતા નથી. અમારે પાસે આ વિશે કોઈ રેકોર્ડ પણ નથી. અમે એટલું જાણીએ છીએ કે 1930ના દાયકાની શરુઆતમાં તેમના પ્રોફેશનલ કરિયરની શરુઆતમાં તેઓ બાજાણા આવતા હતા'.

ફરહાદખાન હવે ગાયિકાના બાજાણા સાથેના સંબંધો વિશે વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. 'અખ્તરીબાઈ એક દશકા કરતાં વધુ સમય માટે બાજાણા રાજ્યની મુલાકાતે આવતા હતા. સ્વતંત્રતા બાદ અમારા પરિવારે તેમના સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. 1947 બાદથી તેઓ બાજાણાની મુલાકાતે આવ્યા નહોતા. પરંતુ ત્યાં સુધીમાં તેઓ જાણીતું નામ બની ગયા હતા અને કેટલીક હિંદી ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂક્યા હતા'.
લેખક વિશે
Bharat Yagnik
Bharat Yagnik is special correspondent at The Times of India, Ahmedabad, and reports on education-related issues, including primary school and higher and technical education. His interest areas include travelling and has recently been to Mansarovar.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો