એપશહેર

વેક્સીનેશન ડ્રાઇવઃ ગુજરાત સહિત 7 રાજ્યોમાં આગામી સપ્તાહથી કોવેક્સિનના ડોઝ અપાશે

I am Gujarat 24 Jan 2021, 7:43 am
ગુજરાત સહિત વધુ સાત રાજ્યોમાં આવતા અઠવાડિયાથી રસીકરણ કાર્યક્રમમાં ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિન રસીનો ઉપયોગ કરવામાં આવશે. આ વાતની જાણકારી કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવતી હતી. અત્યાર સુધી દેશભરમાં યોજાયેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનેલી કોવિશીલ્ડ વેક્સીન આપવામાં આવતી હતી.
I am Gujarat vaxine


કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે અપાઈ છે મંજૂરી
ભારત સરકારના ઔષધ નિયામક દ્વારા સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન બંને રસીને મંજૂરી આપવામાં આવી હતી. જોકે કોવેક્સિનની હજુ ત્રીજા તબક્કાના ટ્રાયલ પૂર્ણ થઈ નથી. એવામાં રસી લેનારાઓને ત્રીજા તબક્કાના ટ્રાયલનો જ ભાગ માનવામાં આવશે. કોવેક્સિનને ઉતાવળે મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપો પણ કેટલાક નિષ્ણાંતો કરી રહ્યા છે.

15 લાખથી વધુ લોકોને મળી ચૂકી વેક્સીન
અત્યાર સુધીમાં માત્ર 12 રાજ્યોમાં કોવેક્સિન રસી ઉપયોગમાં લેવાતી હતી. જોકે આવતા સપ્તાહથી તેને છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કેરળ, મધ્ય પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના એડિશન સેક્રેટરી મનોગર અગ્નાનીએ જણાવ્યું હતું કે, 23મી જાન્યુઆરી સાંજ સુધીમાં દેશમાં કુલ 15,37,190 લાભાર્થીઓને રસી આપી દેવામાં આવી છે. શનિવારે સાંજ સુધીમાં 1,46,598 લોકોને રસી આપવામાં આવી હતી.

જોકે અત્યાર સુધીમાં રસી લીધા બાદ મોતના 6 જેટલા મામલાઓ નોંધાઈ ચૂક્યા છે. જોકે તેમાંથી કોઈપણ વ્યક્તિના મોતમાં રસી કારણભૂત હોય તેવું જણાયું નથી. ગુરુગ્રામમાં 56 વર્ષના એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જેને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે રસી લીધા બાદ રિએક્શનના કારણે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હોય તેવા 11 કેસ સામે આવી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો