અમદાવાદઃ મધ્યપ્રદેશમાં આવેલા રાજકીય ભૂકંપ વચ્ચે ગુજરાતમાં પણ રાજકીય ભૂકંપ લાવવાની અટકળો અને વાતો પર ગુજરાતના ડેપ્યુટી સીએમ અને વરિષ્ઠ નેતાએ જવાબ આપ્યો છે. કોંગ્રેસ દ્વારા નીતિન પટેલે પોતાને કરાઈ રહેલી વિવિધ ઓફરો અંગે ખુલીને બોલ્યા છે આ સાથે તેમણે કોંગ્રેસને ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે. તેઓ ભાજપ માટે વરેલા છે અને ગમે તે ઉંમરના કે હોદ્દા પર હશે તેઓ ભાજપ સાથે જ જોડાયેલા રહેશે તેવું વચન પણ તેમણે આપ્યું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પત્રકારો સાથે વાત કરીને નીતિન પટેલે જણાવ્યું કે, “હું જનસંઘના સમયથી કાર્યકર છું, ભાજપ મારા લોહીમાં છે, મારા હૃદયમાં છે, મારા મનમાં છે. કોઈ પણ સત્તાની લાલચ રાખી નથી. નીતિન પટેલે શંકરસિંહ વાઘેલાએ બનાવેલી રાજપા દરમિયાન પણ મને ઘણી ઓફરો કરવામાં આવી હતી, એ વખતે પણ હું ભાજપ સાથે રહ્યો હતો, અને અત્યારે પણ કોઈ મુખ્યમંત્રી બનાવવાની કે ગમે તે હોદ્દાની લાલચ આપે તે ખોટા છે. મારું જીવન ભાજપનું જીવન છે. મારા સિક્કાની બે બાજુ ગણીએ તો એક બાજુ કમળ છે અને બીજી બાજુ હું છું. હું ભાજપ સાથે સત્તા માટે નહીં પણ સિદ્ધાંતો અને વિચારોથી જોડાયેલો છું.” સિંધિયાના રાજીનામા પર રાહુલનો ભાજપ પર વારઆગળ તેમણે કહ્યું કે, “વિરોધીઓ લોકોનું ધ્યાન ખેંચવા માટે મીડિયા સામે ગમેતે નિવેદનો કરે છે અને મારું નામ લે છે તે યોગ્ય નથી, વ્યાજબી નથી.” પક્ષપલ્ટો કરનારા નેતાઓને પણ તેમણે નિશાના પર લઈને કહ્યું કે, “હું એ લોકો જેવો નથી જે સત્તાની લાલચ માટે ગમેતે પક્ષમાં ગમે ત્યારે જતો રહું.” આ સાથે તેમણે ચેતવણી આપીને કહ્યું કે, કોંગ્રેસનો હજુ સફાયો થવાનો છે અને અમારા દ્વારા જ થવાનો છે, હું કડક ચેતવણી આપું છું કે કોઈ કોંગ્રેસી મારા નામનો ઉપયોગ ના કરે.ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલે જણાવ્યું હતું કે, મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, ભરતસિંહે એવું નિવેદન કર્યું છે કે જો હું ભાજપના 15 ધારાસભ્યો લઈને કોંગ્રેસમાં આવી જઉં તો મને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જેના પર તેમણે ભરતસિંહની સાથે પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ