એપશહેર

હાર્દિકના પારણાં પછી ભાજપે આપી કેવી પ્રતિક્રિયા, જાણો...

Gaurang Joshi | I am Gujarat 12 Sep 2018, 5:33 pm
અમદાવાદઃ હાર્દિકે 19 દિવસના ઉપવાસ પછી અંતે પારણાં કરી લીધાં છે. પારણાં કર્યા પછી ગ્રીનવુડ રિસોર્ટની બહાર નીકળતાં સમયે હાર્દિક પટેલે પોલીસ કાફલાનો આભાર માનીને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેની સાથે પાસના કન્વિનિયર અને સમર્થકો પણ હાજર રહ્યાં હતાં. હાર્દિક પટેલે ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. હાર્દિકના પારણાં પછી ભાજપ અને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી. ભાજપે કહ્યું,’વડાપ્રધાનના વિરોધીઓ એકમંચ પર’ હાર્દિક પટેલે પારણાં કર્યા પછી ભાજપે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. ભાજપના નેતા આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાનના વિરોધીઓ આંદોલન દરમિયાન એકમંચ પર આવ્યાં છે. સરકારે તેની રીતે બનતાં તમામ પ્રયત્નો કર્યા હતાં.’ કોંગ્રેસે સરકારને ગણાવી નિષ્ઠુર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને નિષ્ઠુર ગણાવી હાર્દિકના પારણાં વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે,’સમાજના આગેવાનોની હાજરીમાં હાર્દિક પટેલે પારણાં કર્યા તે સારી વાત છે. ભાજપ સરકારે લોકશાહીનું હનન કર્યું છે.’ આ ઉપરાંત તેમણે રાફેલ મુદ્દે વડાપ્રધાન પર આરોપ લગાવતાં કહ્યું કે, ‘આઝાદી પછીનો વડાપ્રધાનનો સૌથી મોટો સંરક્ષક ગોટાળો છે. જે કંપનીને રમકડાંનો વિમાન બનાવવાનો પણ અનુભવ ન હોય તેને રાફેલ વિમાન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પોતાના ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવા માટે આ કારસો છે. એકલાખ ત્રીસ હજાર કરોડનો કોન્ટ્રાક્ટ ઉદ્યોગપતિને આપીને વડાપ્રધાનની સંડોવણી પણ છે. જેની તપાસ થવી જોઈએ.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો