એપશહેર

અમદાવાદઃ અખાત્રીજે સોની બજારોમાં તેજી રહી, 100 કિલો સોનું અને 700 કિલો ચાંદીનું વેચાણ થયું

Gold and Silver Selling on Akhatrij: સોના-ચાંદીના વેચાણ પાછલા બે વર્ષથી કોરોનાના કારણે મંદી જોવા મળતી હતી. પરંતુ આ વર્ષે ફરી એકવાર ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો છે. મંગળવારે બજારમાં સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકોની સવારમાં જ અપેક્ષા કરતા વધારે ભીડ જોવા મળી હતી. બજારમાં ખરીદારોની ભીડ જોઈને સોના-ચાંદીના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Curated byTejas Jingar | I am Gujarat 4 May 2022, 8:11 am
અમદાવાદઃ અખાત્રીજના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે તેવી માન્યતા અને શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને સોની બજારોમાં ખરીદી ઊંચી રહેતી હોય છે. આ વર્ષે અમદાવાદને પણ અખાત્રીજનો દિવસ ઘણો ફળ્યો છે. બજારમાં ખરીદારોની જબરજસ્ત ભીડ જોવા મળી અને આ શુભ દિવસ પર જેમના ઘરમાં પ્રસંગ છે તેમણે સારી ખરીદી પણ કરી છે. આ ખરીદીમાં સોના-ચાંદીની દુકાનોમાં પણ ભારે ધસારો રહ્યો હતો. મંગળવારે શહેરમાં અંદાજીત 100 કરોડ રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ થયું છે. ઘરેણાનું સારું વેચાણ રહેતા જ્વેલર્સના માલિકો અને સોના-ચાંદીના કામ સાથે સંકળાયેલા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. અખાત્રીજના દિવસે મોટા પ્રમાણમાં લગડી અને સિક્કા સાથે ઘરેણાનું પણ સારું વેચાણ થયું છે.
I am Gujarat Gold Silver Selling on Akhatrij In Ahmedabad
અમદાવાદમાં અખાત્રીજના દિવસે સોના-ચાંદીનું ધૂમ વેચાણ થયું


સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે અખાત્રીજના દિવસે અમદાવાદમાં લગભગ 70 ટકા લગડી તથા સિક્કા અને 30 ટકા સોના-ચાંદીના ઘરેણાનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. અખાત્રીજ પછી લગ્ન અને માંગલિક પ્રસંગોના મુહૂર્ત શરુ થતા હોય છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને પણ સોના-ચાંદીની ખરીદી માટે બજારમાં ભીડ જોવા મળી હતી. આ શુભ દિવસ પર ખરીદી કરવા માટે કેટલાક ગ્રાહકોએ અગાઉથી જ બૂકિંગ પણ કરાવી રાખ્યા હતા. આવા ગ્રાહકો માટે જ્વેલર્સ દ્વારા અગાઉથી જ તેમના પાર્સલ તૈયાર જ રાખવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના ગ્રાહકોએ બેથી ત્રણ દિવસ પહેલા લગડી કે સિક્કાનું બૂકિંગ કરાવી રાખ્યું હતું.

બે વર્ષ બાદ માર્કેટમાં જોવા મળી ધમાકેદાર તેજી

કોરોના વાયરસના કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા હતા અને નિયંત્રણોના લીધે બજારમાં ભીડ પણ નહોતી થતી. પરંતુ આ અખાત્રીજ પર કોરોનાથી લગભગ મુક્તિ મળતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગે શહેરના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની જણાવે છે કે, બે વર્ષ મહામારીના લીધે લોકો ખરીદી કરી શક્યા નહોતા, ચાલુ વર્ષમાં સારી ખરીદી કરી છે. લગ્નસરાની ખરીદી શરુ કરી દેતા હવે બજારમાં તેજી જોવા મળી રહી છે. વેપારીઓને અપેક્ષા કરતા વધુ ઘરાકી જોવા મળી છે.

એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં અખાત્રીજ દરમિયાન 100 કિલોગ્રામ સોનુ 700 કિલો ચાંદીનું વેચાણ થયું હતું. આ શુભ દિવસે સવારથી જ અપેક્ષા કરતા ઘણી સારી ઘરાકી જોવા મળી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સ દ્વારા અલગ-અલગ ડિઝાઈનવાળા સિક્કા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં માણેકચોક, સીજી રોડ અને શિવરંજની પર ખરીદારોની ખાસ્સી ભીડ જોવા મળી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો