અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ થયેલા 54 વર્ષના ભૂપતસિંહ મૃત્યુ બાદ એક દર્દીને જીવતદાન આપતા ગયા છે. તેમના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. 1200 બેડવાળી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા તેમના પત્નીએ આ માટે પરવાનગી માટે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં 2019થી SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) કાર્યરત છે. SOTTO અંતર્ગત ICUમાં સારવાર લઈ રહેલા બ્રેનડેડ દર્દીઓના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલ દ્વારા SOTTO અંતર્ગત સઘન કામગીરી થાય તે માટે કમિટી બનાવવામાં આવી છે. તેમજ વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે ખૂબ જ ઓછા સમયમાં ટ્રાન્સપ્લાન્ટમાં સફળતા મળી છે.
SOTTO અંતર્ગત બ્રેનડેડ દર્દીની કિડની, લિવર, હૃદય, સ્વાદુપિંડ, પેશીઓના ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યા છે. યુવા દાતાઓના મૃત્યુ બાદ તેમના શરીરના અંગોથી પાંચથી છ દર્દીઓને જીવતદાન આપી શકાઈ છે. આ સાથે કોર્નિયાનું ચક્ષુદાન, પેશીઓનું દાન, ચામડીનું બોન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓનું જીવન બચાવી શકાઈ છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતુંકે, બ્રેનડેડ દર્દીઓના અંગ અન્ય દર્દીઓના ઉપયોગમાં આવી શકે અને તેમને નવું જીવન મળે તે હેતુથી અંગદાન કરવામાં આવે છે. જે માટે અમારી હોસ્પિટલમાં બ્રેનડેડ થયેલા દર્દીઓના સગાને અંગદાન માટેની સચોટ માહિતી આપવામાં આવે છે. સરકારી દિશાનિર્દેશ પ્રમાણે GCS (Glasgow Coma Scale) સ્કોર પાંચથી નીચે હોય તેવા દર્દીનો એપ્નીયા ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સગાનું કાઉન્સેલિંગ કરીને અંગદાન માટે તૈયાર કરવામાં આવે છે.
SOTTOના રાજ્ય સ્તરના કન્વીનર ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે, SOTTO એ રાજ્ય સ્તરની સંસ્થા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014માં NOTTO (નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની શરુઆત કરવામાં આવી હતી. જેના હેછળ ભારતમાં કુલ SOTTO કાર્યરત કરવામાં આવી છે. અંગ પ્રત્યારોપણનું નામાંકન, જરૂરિયાત ધરાવતા દર્દીનું નામાકાંનની સમગ્ર કામગીરી ઓનલાઈન થાય છે. અંગદાતા અને અંગ ગ્રાહીની સંપૂર્ણ માહિતી ઓનલાઈન રજિસ્ટાર દ્વારા નિભાવવામાં આવે છે. જેમાં બ્રેનડેડ દર્દીઓથી લઈને અન્ય પ્રકારના દર્દીઓ કે જેમના અંગનું પ્રત્યારોપણ જરૂરિયાતમંદ દર્દીમાં થઈ શકતું હોય તેવા દર્દીઓના સગાને સમજાવીને તેમના સંમતિ દ્વારા જરૂરિયાતમંદ દર્દીમાં વિવિધ અંગો, અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીને અંગદાન થકી કાર્યદક્ષતામાં વધારો થાય તે માટે SOTTOની રચના કરવામાં આવી છે. જે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત છે.
સિવિલ હોસ્પિટલમાં 2019થી SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) કાર્યરત છે. SOTTO અંતર્ગત ICUમાં સારવાર લઈ રહેલા બ્રેનડેડ દર્દીઓના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલ દ્વારા SOTTO અંતર્ગત સઘન કામગીરી થાય તે માટે કમિટી બનાવવામાં આવી છે. તેમજ વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે ખૂબ જ ઓછા સમયમાં ટ્રાન્સપ્લાન્ટમાં સફળતા મળી છે.
SOTTO અંતર્ગત બ્રેનડેડ દર્દીની કિડની, લિવર, હૃદય, સ્વાદુપિંડ, પેશીઓના ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યા છે. યુવા દાતાઓના મૃત્યુ બાદ તેમના શરીરના અંગોથી પાંચથી છ દર્દીઓને જીવતદાન આપી શકાઈ છે. આ સાથે કોર્નિયાનું ચક્ષુદાન, પેશીઓનું દાન, ચામડીનું બોન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓનું જીવન બચાવી શકાઈ છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતુંકે, બ્રેનડેડ દર્દીઓના અંગ અન્ય દર્દીઓના ઉપયોગમાં આવી શકે અને તેમને નવું જીવન મળે તે હેતુથી અંગદાન કરવામાં આવે છે. જે માટે અમારી હોસ્પિટલમાં બ્રેનડેડ થયેલા દર્દીઓના સગાને અંગદાન માટેની સચોટ માહિતી આપવામાં આવે છે. સરકારી દિશાનિર્દેશ પ્રમાણે GCS (Glasgow Coma Scale) સ્કોર પાંચથી નીચે હોય તેવા દર્દીનો એપ્નીયા ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સગાનું કાઉન્સેલિંગ કરીને અંગદાન માટે તૈયાર કરવામાં આવે છે.
SOTTOના રાજ્ય સ્તરના કન્વીનર ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે, SOTTO એ રાજ્ય સ્તરની સંસ્થા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014માં NOTTO (નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની શરુઆત કરવામાં આવી હતી. જેના હેછળ ભારતમાં કુલ SOTTO કાર્યરત કરવામાં આવી છે. અંગ પ્રત્યારોપણનું નામાંકન, જરૂરિયાત ધરાવતા દર્દીનું નામાકાંનની સમગ્ર કામગીરી ઓનલાઈન થાય છે. અંગદાતા અને અંગ ગ્રાહીની સંપૂર્ણ માહિતી ઓનલાઈન રજિસ્ટાર દ્વારા નિભાવવામાં આવે છે. જેમાં બ્રેનડેડ દર્દીઓથી લઈને અન્ય પ્રકારના દર્દીઓ કે જેમના અંગનું પ્રત્યારોપણ જરૂરિયાતમંદ દર્દીમાં થઈ શકતું હોય તેવા દર્દીઓના સગાને સમજાવીને તેમના સંમતિ દ્વારા જરૂરિયાતમંદ દર્દીમાં વિવિધ અંગો, અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીને અંગદાન થકી કાર્યદક્ષતામાં વધારો થાય તે માટે SOTTOની રચના કરવામાં આવી છે. જે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત છે.