એપશહેર

રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં મોટા ફેરફારના એંધાણ

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં ફેરફાર કરવામાં આવશે તેવી ચર્ચા છે. રાજીવ સાતવ દસ દિવસ માટે ગુજરાતમાં છે અને નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી રહ્યા છે.

Reported byKapil Dave | Written byમિત્તલ ઘડિયા | TNN 17 Dec 2020, 8:00 am
કપિલ દવે, ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા ગુજરાત કોંગ્રેસ સર્કિટના નેતૃત્વમાં પરિવર્તન આવશે તેવી તીવ્ર ચર્ચા છે, જેમાં ટોચના હોદ્દાઓનો સમાવેશ થાય છે. આ ચર્ચા એટલા માટે શરૂ થઈ કારણ કે, AICC ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ દસ દિવસ માટે ગુજરાતમાં છે અને અત્યારસુધીમાં સ્થાનિક ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ઘણા નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી ચૂક્યા છે.
I am Gujarat buzz of change in congress leadership ahead of local election in state
રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં મોટા ફેરફારના એંધાણ


મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં હાર મળ્યા બાદ, GPCC અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના રાજીનામું આપવાના પ્રસ્તાવ અંગે પાર્ટીએ નિર્ણય લીધો નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના નિધનના કારણે સંગઠનમાં ફેરફારના નિર્ણયને આગળ સ્થગિત કરવામાં આવ્યો હતો.

'હવે રાજીવ સાતવે વિધાનસભાની પેટાચૂંટણીમાં પાર્ટીની હાર અંગે કોંગ્રેસની અંદર વિવિધ મંતવ્યોની પ્રતિક્રિયા લીધી છે. કાર્યકરોથી લઈને જિલ્લા પ્રભારીઓએ કહ્યું કે, ચાવડા અને ધાનાણીનું નેતૃત્વ બિનઅસરકારક રહ્યું છે અને તેમણે રાજ્યના તમામ સ્તરે બદલાવની માગ કરી છે', તેમ સૂત્રોએ કહ્યું હતું.

'રાષ્ટ્રીય નેતાઓ હાલ આ ક્ષણે નેતૃત્વમાં પરિવર્તન લાવવાના ફાયદા અને નુકસાન વિશે વિચારી રહ્યા છે. જો કે, નેતાઓમાં સર્વસંમતિ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા નેતૃત્વમાં ધરખમ ફેરફાર કરવાની સખત જરૂર છે. જો કોઈ ફેરફાર કરવાનો હશે તો આગામી દસ દિવસમાં કરવામાં આવશે અથવા સ્થાનિક ચૂંટણી ખતમ થાય ત્યાં સુધી પક્ષ રાહ જોશે'.

પાર્ટી પાસે મર્યાદિત વિકલ્પો
કોંગ્રેસ હાઈકમાન્ડ હવે મર્યાદિત વિકલ્પોને લઈને મૂંઝવણમાં છે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ તેઓએ લડેલી ચૂંટણીમાં બેઠકો જીતી શક્યા નહોતા.

હાર્દિક પટેલ સ્વીકાર્ય નથી?
કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ અમિત ચાવડાની જગ્યાએ પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા હાર્દિક પટેલને અધ્યક્ષનું પદ આપવાની માગ કરી રહ્યા છે. પટેલની કેટલાક મહિના પહેલા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે, પક્ષનો એક વર્ગ તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવાના વિરોધમાં છે. નેતાઓનું માનવું છે કે, જો હાર્દિક પટેલને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે તો પાર્ટીમાં વ્યાપક અસંતોષ જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો