એપશહેર

અ'વાદ VHP કચેરી અને ભાજપ કમલમ ખાતે રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી

આજે અયોઘ્યા ખાતે વડાપ્રધાન મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ પાલડી ખાતે VHP કાર્યલય અને ભાજપ કમલમ ખાતે રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નીતિન પટેલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I am Gujarat 5 Aug 2020, 4:00 pm
અમદાવાદ: આજે અયોધ્યા ખાતે વડાપ્રધાન મોદી, RSS સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને ગર્વનર આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અયોધ્યાની સાથે-સાથે ગુજરાત સહિત દેશભરમાં ઠેર-ઠેર રામ મંદિરની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પાલડી ખાતેના વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યાલયે ખાતે પણ રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ભાજપ કમલમ ખાતે પણ રામ મંદિરની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા.
I am Gujarat 37
VHP કાર્યાલય ખાતે નીતિન પટેલ હાજર રહ્યા

VHP કાર્યાલયને શણગારવામાં આવ્યું હતું
મીડિયા રિપોર્ટ મુજબ ભૂમિપૂજનની ઉજવણી માટે આજે VHP કાર્યાલયને વિશેષ શણગારવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન રામ મંદિર બનાવવાના કાર્યકરો જેઓ મૃત્યુ પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ VHPના કાર્યકરોએ નીતિન પટેલ સાથે ફોટા પણ પડાવ્યા હતા.
ભાજપ કમલમ ખાતે રામ મંદિરની ઉજવણી
ગાંધીનગર ભાજપ કમલમ ખાતે પણ રામ મંદિરની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા શ્રીરામ મંદિરના ભૂમિપૂજન તથા શિલાન્યાસને કાર્યક્રમને નિહાળવા માટે ભાજપ સંગઠન મહામંત્રી ભિખુભાઈ, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, પૂર્ણ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને સાંસદ સહિતના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Read Next Story