એપશહેર

મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને લખ્યો પત્ર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18 એપ્રિલે યોજાવાની છે, મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવા પત્ર લખ્યો

I am Gujarat 9 Apr 2021, 8:19 pm
ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18મી એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.
I am Gujarat vijay rupani2


રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખીને વધુ લોકો ચેપગ્રસ્ત ન બને તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી આ દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજમાં હાજર રહેતા હોય છે.

તેથી આવા સંજાગોમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાવાની શક્યતા રહેલી છે. રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરીને ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જનહિતમાં મોકૂફ રાખે તેવી અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો