નવગુજરાત સમય > ગાંધીનગર
ઉનામાં દલિત અત્યાચારની ઘટનાને વારંવાર ઉછાળીને રાષ્ટ્રીય સ્તરે રાજકીય રંગ અપાઇ રહ્યો છે તેની સામે આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે લાલ આંખ કરી હતી. સોમવારથી અત્યાર સુધીમાં કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, એનસીપી, જનતાદળ (યુ), સીપીઆઇ(એમ), ટીએમસી જેવા પક્ષોના નેતાઓએ આવીને ગુજરાતમાં જ દલિતો પર અત્યાચારો થઇ રહ્યા છે એવુ ચિત્ર ઉપસ્થિત કર્યું છે તેનો આકરો ઉત્તર વાળતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નેતાઓએ પોતાના રાજ્યોમાં બનેલી ઘટનાઓ પર નજર કરી હોત તોય ઘણું હતું. આ તબક્કે તેમણે બિહારમાં દલિત યુવાનને યુરિન પીવડાવવાની ઘટના યાદ કરાવી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને વખોડી આનંદીબહેન પટેલે કહ્યું કે, ઉનાની ઘટના અંગે સંસદમાં ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યારે તેઓ ઊંઘતા હતા. માતાએ જગાડ્યા ને કહ્યું એટલે અહીં આવ્યા..આ ઘટના સાથે સંબંધ ન હતો એવા લોકોને પણ મળ્યા, બોલીને જતા રહ્યા! અરવિંદ કેજરીવાલ તો હમણાં હમણાં બે વખત આવ્યા. અગાઉ પરિવાર સાથે આવ્યા ત્યારે એમણે પ્રવાસ ખેડ્યો હતો શું એ રસ્તાઓ વિકાસ વગર જ બની ગયા હતા ? એવો પ્રશ્ન કરીને તેમણે ઉમેર્યું કે, શું એમને ગુજરાતમાં કેવો વિકાસ થયો છે એની ખબર ન પડી? રાત્રિ રોકાણ કર્યું ત્યારે એક મિનિટેય વીજળી ગઇ ન હતી. માત્ર રાજકીય રોટલા શેકવા બધા આવ્યા છે. સરકારે ઘટનાને ગંભીરતાથી લઇને તમામ પગલાં ભર્યા છે અને હજુ પણ જરૂર લાગશે તો ભરશે. પરંતુ મહેરબાની કરીને દલિતોના મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ ન કરે. ચૂંટણીઓમાં દલિત કાર્ડ ખેલવાની કોઇ જરૂર નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગમે તેવા પ્રયાસો કરો..2017ની ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે અને સરકાર પણ ભાજપની જ બનવાની છે.
ગુજરાતના પંદર વર્ષના ભાવિ વિકાસની બ્લ્યુપ્રિન્ટ તૈયાર: આનંદીબહેન આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કાર્યકરોના અભ્યાસ વર્ગને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર આગામી પંદર વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. કયા ક્ષેત્રમાં કેવું, કેટલું, કેવા પ્રકારનું કામ કરવાનું છે તેની વિશેષ કાળજી લેવામાં આવનાર છે. તેમણે કાર્યકરોને ભાજપના સિદ્ધાંતો, મૂલ્યો પ્રત્યે જાગૃત કરતાં કહ્યું કે, ભાજપમાં ખંતિલા, નિષ્ઠાવાન અને દેશની સેવા માટે સમર્પિત લાખો કાર્યકરોની વિરાટ ટીમ હોવાથી જ કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં ભાજપની સરકાર છે.
ત્યારે આપણો હેતુ સત્તા થકી લોકસેવા માટેનો રહેવો જોઇએ. તેમણે કેન્દ્ર અને રાજ્યની લોકહિતની યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવા માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ અભ્યાસ વર્ગને પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પણ સંબોધ્યો હતો. વર્ગમાં સિનિયર પ્રધાન નીતિન પટેલ, સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્યો પરબત પટેલ, નારણભાઇ પટેલ, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ દવે, મહેસાણા સાંસદ જયશ્રીબેન પટેલ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તથા ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ઉનામાં દલિત અત્યાચારની ઘટનાને વારંવાર ઉછાળીને રાષ્ટ્રીય સ્તરે રાજકીય રંગ અપાઇ રહ્યો છે તેની સામે આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે લાલ આંખ કરી હતી. સોમવારથી અત્યાર સુધીમાં કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, એનસીપી, જનતાદળ (યુ), સીપીઆઇ(એમ), ટીએમસી જેવા પક્ષોના નેતાઓએ આવીને ગુજરાતમાં જ દલિતો પર અત્યાચારો થઇ રહ્યા છે એવુ ચિત્ર ઉપસ્થિત કર્યું છે તેનો આકરો ઉત્તર વાળતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નેતાઓએ પોતાના રાજ્યોમાં બનેલી ઘટનાઓ પર નજર કરી હોત તોય ઘણું હતું. આ તબક્કે તેમણે બિહારમાં દલિત યુવાનને યુરિન પીવડાવવાની ઘટના યાદ કરાવી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને વખોડી આનંદીબહેન પટેલે કહ્યું કે, ઉનાની ઘટના અંગે સંસદમાં ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યારે તેઓ ઊંઘતા હતા. માતાએ જગાડ્યા ને કહ્યું એટલે અહીં આવ્યા..આ ઘટના સાથે સંબંધ ન હતો એવા લોકોને પણ મળ્યા, બોલીને જતા રહ્યા! અરવિંદ કેજરીવાલ તો હમણાં હમણાં બે વખત આવ્યા. અગાઉ પરિવાર સાથે આવ્યા ત્યારે એમણે પ્રવાસ ખેડ્યો હતો શું એ રસ્તાઓ વિકાસ વગર જ બની ગયા હતા ? એવો પ્રશ્ન કરીને તેમણે ઉમેર્યું કે, શું એમને ગુજરાતમાં કેવો વિકાસ થયો છે એની ખબર ન પડી? રાત્રિ રોકાણ કર્યું ત્યારે એક મિનિટેય વીજળી ગઇ ન હતી. માત્ર રાજકીય રોટલા શેકવા બધા આવ્યા છે. સરકારે ઘટનાને ગંભીરતાથી લઇને તમામ પગલાં ભર્યા છે અને હજુ પણ જરૂર લાગશે તો ભરશે. પરંતુ મહેરબાની કરીને દલિતોના મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ ન કરે. ચૂંટણીઓમાં દલિત કાર્ડ ખેલવાની કોઇ જરૂર નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગમે તેવા પ્રયાસો કરો..2017ની ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે અને સરકાર પણ ભાજપની જ બનવાની છે.
ગુજરાતના પંદર વર્ષના ભાવિ વિકાસની બ્લ્યુપ્રિન્ટ તૈયાર: આનંદીબહેન આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કાર્યકરોના અભ્યાસ વર્ગને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર આગામી પંદર વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. કયા ક્ષેત્રમાં કેવું, કેટલું, કેવા પ્રકારનું કામ કરવાનું છે તેની વિશેષ કાળજી લેવામાં આવનાર છે. તેમણે કાર્યકરોને ભાજપના સિદ્ધાંતો, મૂલ્યો પ્રત્યે જાગૃત કરતાં કહ્યું કે, ભાજપમાં ખંતિલા, નિષ્ઠાવાન અને દેશની સેવા માટે સમર્પિત લાખો કાર્યકરોની વિરાટ ટીમ હોવાથી જ કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં ભાજપની સરકાર છે.
ત્યારે આપણો હેતુ સત્તા થકી લોકસેવા માટેનો રહેવો જોઇએ. તેમણે કેન્દ્ર અને રાજ્યની લોકહિતની યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવા માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ અભ્યાસ વર્ગને પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પણ સંબોધ્યો હતો. વર્ગમાં સિનિયર પ્રધાન નીતિન પટેલ, સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્યો પરબત પટેલ, નારણભાઇ પટેલ, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ દવે, મહેસાણા સાંસદ જયશ્રીબેન પટેલ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તથા ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.