એપશહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા કોરોના સંક્રમિત, હોમ આઈસોલેશનમાં રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેઓ હાલ હોમ આઉસોલેશનમાં છે. તેમની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે હવે મુખ્યમંત્રીને કોરોના થતા તેમના સંપર્કમાં આવેલા અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ ચિંતામાં મૂકાઈ ગયા છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 29 Jun 2022, 6:09 pm
અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમિત થતા તેઓ હોમ આઈસોલેટ થઈ ગયા છે. કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેના રિપોર્ટ બાદ તેમણે કોવિડ પ્રોટોકોલ મુજબ તેમણે પોતાના નિવાસ સ્થાને હાઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જણાવાયા મુજબ, હાલ તેમની તબિયત સ્વસ્થ છે.
I am Gujarat CM Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલ તેમણે હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.


ઉલ્લેખનીય છે કે, બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા થવાની હતી. જેમાં રથયાત્રામાં સુરક્ષા સંબંધિત ચર્ચાઓ થવાની હતી. જોકે, મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થતા આ બેઠક રદ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, રથયાત્રામાં તેઓ હાજરી આપશે કે નહીં.

પહિંદ વિધિમાં હાજરી આપશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી
આજથી જગન્નાથ મંદિરમાં ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ મુખ્યમંત્રીના હસ્તે ભગવાનના રથમાં પહિંદ વિધિ કરવામાં આવે છે. આગલા દિવસે અને સવારે પણ વિશેષ પૂજા-અર્ચનામાં પણ મુખ્યમંત્રી હાજરી આપતા હોય છે. પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીને કોરોના થયો હોવા અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ ન હોવાથી ઘણા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જો મુખ્યમંત્રી કોરોનાના સંક્રમિત હોવાના કારણે પહિંદ વિધિ નહીં કરી શકે તો તેમના સ્થાને આ સૌભાગ્ય રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદીને મળી શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલના આસિસ્ટન્ટ પર 'લેતી-દેતી'નો આક્ષેપ થતાં તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરાઈ
મંગળવારે કોરોનાના 450 કેસ નોંધાયા હતા
રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાથી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. મંગળવારે કોરોનાના 475 કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. તે પછી સુરત અને વડોદરાનો નંબર છે. એક તરફ રથયાત્રા જેવો મોટો તહેવાર આવી રહ્યો છે અને બીજી તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર માટે પણ કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવાનું કામ ઘણું કપરું બની ગયું છે.
CM ભૂપેન્દ્ર પટેલ બગોદરા પાસે કાફલો રોકી હોટેલ પર ચા પીવા ઉભા રહી ગયા
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ મંગળવારે કોરનાના નવા 475 કેસ નોંધાયા હતા. એક પણ દર્દીનું મોત થયું નથી એ રાહતની વાત છે. મંગળવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 248 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં મંગળવાર સુધીમાં કુલ 2793 એક્ટિવ કેસ હતા. રાજ્યમાં અત્યાર સુધી 10,946 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો