એપશહેર

અમદાવાદઃ શિકાર કરીને ઘરની અંદર આરામ ફરમાવી રહ્યો હતો કોબ્રા

Hitesh Mori | I am Gujarat 12 Mar 2020, 9:24 pm
અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતા જ જીવ જંતુઓ પોતાના દરમાંથી બહાર આવવા લાગે છે. ઝેરી કોબ્રા સાપ સરખેજ વિસ્તારના બુધ્ધનગરના એક ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ સાપને એનિલમ લાઈફ કેર સંસ્થા દ્વારા રેસક્યુ કરીને ખુલ્લા વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોઆ અંગે એનિલ લાઈફ કેર સંસ્થાના પ્રમુખ વિજય ડાભી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘અમને આજે કોલ આવ્યો કે સરખેજ બુદ્ધનગરના એક ઘરમાં ઝેરી સાપ ઘૂસી ગયો છે. જેથી અમે તુરંત ત્યાં પહોંચી ગયા અને જોયું તો ઝેરી સાપ કોબ્રા ઘરના એક ખૂણામાં પડેલી પાણીની ટાંકી પાસે હતો. તપાસ કરતા જોવા મળ્યું કે સાપે કોઈ શિકાર ગળેલો હતો અને આરામ કરી રહ્યો હતો.’તેમણે વધુમાં જણાવ્યું કે, ‘કોબ્રા ઝેરી સાપમાંથી એક છે. આ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ત્યાર બાદ ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. અમે લોકોને અપીલ કરીએ છીએ કે જ્યારે પણ તમને ઘરમાં કો કોઈ જગ્યાએ સાપ જોવા મળે તો તેને મારવાને બદલ અમારી સંસ્થાનો સંપર્ક કરો.’

Read Next Story