એપશહેર

ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે કોંગ્રેસ-ઔવેસીની પાર્ટીનો ઉગ્ર દેખાવો

ઈંડા-નોનવેજની લારીઓને હટાવવાના મુદ્દે મ્યુનિ.માં ઘણાસાણ, કોંગ્રેસ-ઔવેસીની પાર્ટીએ મેયરને આવેદન પત્ર આપીને કહ્યું- ગરીબી હટાવો, ગરીબોને નહીં

Agencies 17 Nov 2021, 8:13 am

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે વિવાદ વકર્યો
  • મનપા ઓફિસ ખાતે ઔવેસી અને કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું
  • મેયરને આવેદન પત્ર આપીને નિર્ણય પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1
અમદાવાદમાં 16 નવેમ્બરથી ઈંડા અને નોનવેજની જાહેર રસ્તા અને ધાર્મિક સ્થાનો આસપાસ ઉભી રાખવામાં આવતી લારીઓ હટાવવાના નિર્ણયથી ભારે વિવાદ સર્જાયો છે. મંગળવારે શહેરમાં વિરોધપક્ષ કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટીના કોર્પોરેટરોએ મેયરને આવેદનપત્ર આપીને ગરીબીને બદલે ગરીબોને હટાવવાના નિર્ણયને પરત ખેંચવાની ઉગ્ર રજૂઆત કરી હતી. ઉપરાંત નોન-વેજની લારીઓ હટાવવાના મામલે વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિ. કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ-ઔવેસીની પાર્ટીનું ઉગ્ર રજૂઆત
મીડિયા રિપોર્ટટ મુજહ મ્યુનિ ટાઉન પ્લાનિંગ કમિટીમાં સોમવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મંદિરો, મ્યુનિ. હોલ, બાગ-બગીચા, સ્કૂલ-કોલેજ સહિતની જગ્યાઓ તેમજ જાહેર માર્ગો અને ફૂટપાથ ઉપર ચાલતી નોનવેજ-ઈંડાની લારીઓ ઉપાડી લેવા એસ્ટેટ ખાતાને મૌખિક સૂચના આપી હતી. જેના પગલે વિરોધપક્ષ કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટીના કોર્પોરેટરોએ મેયરને નિર્ણય પરત ખેંચવા માટે આવેદન પત્ર આપ્યું હતું.

ગરીબી હટાવો....ગરીબોને નહી
પ્રાપ્ત માહિતી કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટીના કોર્પોરેટરોએ મેયરની ઓફિસમાં જઈને વિવાદાસ્પદ નિર્ણય પાછો નહીં ખેયાચ તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દરમિયાન ભાજપ વિરોધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ગરીબી હટાવો, ગરીબોને નહીં. કોંગી કોર્પોરેટરે કહ્યું કે, ધાર્મિક સ્થળો આસપાસથી આવી લારીઓ દૂર કરાય તેની સામે વાંધો નથી. પરંતુ અન્ય જગ્યાએ ધંધદો કરતા લોકોને ચોક્ક્સ પ્રકારનો ધંધો કરવા ઉપર પ્રતિબંધ લાદી શકાય નહીં. ટ્રાફિકને નડતરરૂપ થાય તેવા અનેક અનેક પ્રકારના દબાણો છે તો પછી ફકત ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર જ તવાઈ કેમ?

ઉલ્લેખનીય છે કે, રાજકોટ, વડોદરા તેમજ ભાવનગર જેવા શહેરોમાં જાહેર રસ્તા પરથી ઈંડા અને નોન-વેજની લારીઓ હટાવાયા બાદ અમદાવાદમાં પણ 16 નવેમ્બરથી લારીઓ હટાવવાના નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે અમદાવાદમાં મંગળવારે એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ કમિટિ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, અમદાવાદના જાહેર રસ્તા પરથી ટ્રાફિકને નડતરરુપ થતી હોય તેવી ઈંડા, નોનવેજની લારીઓને હટાવાશે. શહેરમાં જાહેર રસ્તાઓ ઉપરાંત, ધાર્મિક સ્થળ, કોમ્યુનિટી હોલ, શૈક્ષણિક સંસ્થાઓ, બાગ-બગીચા પાસે પણ ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી નહીં રાખી શકાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો