એપશહેર

રાજ્યમાં 19મી મેએ પણ કોરોના રસીકરણ બંધ રહેશે, 20મી મેથી ફરીથી શરૂ થશે

તૌકતે વાવાઝોડાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે વધુ એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે

I am Gujarat 18 May 2021, 7:58 pm
ગુજરાતમાં હાલમાં તૌકતે વાવાઝોડુ કહેર વર્તાઈ રહ્યું છે. રાજ્યના મોટા ભાગમાં તેની અસર વર્તાઈ રહી છે અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાના કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણની કામગીરી બુધવારે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં રસીકરણની કામગીરી 20 મે ગુરૂવારથી ફરીથી શરૂ કરવામાં આવશે.
I am Gujarat vaccination gujarat


અગાઉ તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યમાં બે દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી. રાજ્યમાં સોમવાર અને મંગળવારે રસીકરણ બંધ રાખવામાં આવી હતી. જેમાં હવે વધુ એક દિવસનો ઉમેરો કરવામાં આવ્યો છે.
તૌકતેનું તાંડવ: ત્રણનાં મોત, 40 હજાર વૃક્ષો પડ્યાં અને 16,500 મકાનોને નુક્સાનનોંધનીય છે કે વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિના કારણે જ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને લગાવવામાં આવેલા નિયંત્રણો વધુ ત્રણ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. હવે 8 મહાનગર સહિત 36 શહેરોમાં 21 મે સવારે છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો અમલી રહેશે.

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તૌકતે વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાની અસરથી 2437 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેમાંથી 484થી વધુ પુરવઠો પુનઃએકવાર શરૂ કરાયો. આ વિસ્તારમાં અંદાજે 159 રસ્તાઓ બંધ છે, જેને ખોલવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત વાવાઝોડાના કારણે અંદાજે 40000 વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે 16,500 જેટલા કાચા મકાનો-ઝૂંપડાને નુકસાન પહોંચ્યું છે. હજી પણ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.
સુરત, અમદાવાદ, વલસાડ સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદ, વાવાઝોડાની અસર ક્યારે ઘટશે?રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વાવાઝોડા અંગે અપડેટ આપતાં જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ધીમું પડી રહ્યુ છે. ગઈકાલે 160ની ગતિએ ત્રાટકેલા વાવાઝોડાની સ્પીડ હવે 100ની થઈ ગઈ છે. આ વાવાઝોડું મંગળવારે બપોર સુધીમાં અમદાવાદ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જો કે, આજે મધરાત બાદ કાલે વહેલી સવાર પછી વાવાઝોડું ગુજરાત છોડી રાજસ્થાન તરફ જશે તેવી શક્યતા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો