અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમણ ભયાવહ રીતે ફેલાઈ રહ્યું છે અને સાતેય ઝોનમાંથી દરરોજ નોંધાતા કેસનું પ્રમાણ વધીને એક હાજરને આંબવા આવ્યું છે. તેના પગલે સિવિલ, સોલા સિવિલ, એસવીપી તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, હોસ્પિટલોમાં 4500 બેડ કર્યા તો સામે દર્દીઓની સંખ્યા વધીને 3789 પર પહોંચી ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને વધુ 19 ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે મંજૂરી અપાઈ છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ વધુ ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટે મંજૂરી આપવા તેમજ એસવીપીમાં 200ને બદલે 800-1000 બેડ ફાળવવા મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી. જેના અનુસંધાને મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે ઝાયડસ સહિત 18 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. જો કે, આ તમામ હોસ્પિટલામાં સ્વખર્ચે સારવાર લેવી પડશે.
કોરોનાએ ચારેબાજુ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે, જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોર્ડ અને બેડ હાઉસફૂલ થઈ ગયા છે, તેમજ કોરોના દર્દીને અપાતાં જીવનરક્ષક રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પણ ખૂટી પડતાં કોરોનાના દર્દીઓના શ્વાસ તૂટે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેને લઈ હવે નાગરિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
આ ઝોનમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા
પૂર્વ ઝોનમાં એક સોસાયટી
પશ્ચિમ ઝોનમાં 13 સોસાયટી
મધ્ય ઝોનમાં 4 સોસાયટી
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11 સોસાયટી
દક્ષિણ ઝોનમાં 6 સોસાયટી
દર્દીઓને ક્યાં દાખલ કરવા તે 108 નક્કી કરશે
AMC દ્વારા એસએમએસ અને જીસીએસ હોસ્પિટલમાં શહેરી કોરોના દર્દીને વિનામૂલ્યે સારવાર આપવા માટે 400 બેડ સંપાદિત કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાં કયા દર્દીને દાખલ કરવા તે 108 નક્કી કરશે. તેના પગલે કોરોના દર્દીને એસવીપીમાં કે આ બે સંપાદિત હોસ્પિટલમાં દાખલ થવું હશે તો રાજકીય આગેવાનો કે આધિકારીઓ પાસે ભલામણ કરાવવી પડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
સિવિલ કેમ્પસમાં સખ્ત પોલીસ બંદોબસ્તઅમદાવાદના મેડિસિટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોરોના સહિતના દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જેથી કરીને દર્દીઓના પરિવાર અને સગા-સંબંધીઓની અવર-જવર પણ વધી ગઈ છે. ત્યારે કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સિવિલ કેમ્પસમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેમ્પસમાં પોલીસના અન્ય વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
કોરોનાએ ચારેબાજુ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે, જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોર્ડ અને બેડ હાઉસફૂલ થઈ ગયા છે, તેમજ કોરોના દર્દીને અપાતાં જીવનરક્ષક રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પણ ખૂટી પડતાં કોરોનાના દર્દીઓના શ્વાસ તૂટે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેને લઈ હવે નાગરિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
આ ઝોનમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા
પૂર્વ ઝોનમાં એક સોસાયટી
પશ્ચિમ ઝોનમાં 13 સોસાયટી
મધ્ય ઝોનમાં 4 સોસાયટી
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11 સોસાયટી
દક્ષિણ ઝોનમાં 6 સોસાયટી
દર્દીઓને ક્યાં દાખલ કરવા તે 108 નક્કી કરશે
AMC દ્વારા એસએમએસ અને જીસીએસ હોસ્પિટલમાં શહેરી કોરોના દર્દીને વિનામૂલ્યે સારવાર આપવા માટે 400 બેડ સંપાદિત કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાં કયા દર્દીને દાખલ કરવા તે 108 નક્કી કરશે. તેના પગલે કોરોના દર્દીને એસવીપીમાં કે આ બે સંપાદિત હોસ્પિટલમાં દાખલ થવું હશે તો રાજકીય આગેવાનો કે આધિકારીઓ પાસે ભલામણ કરાવવી પડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
સિવિલ કેમ્પસમાં સખ્ત પોલીસ બંદોબસ્તઅમદાવાદના મેડિસિટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોરોના સહિતના દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જેથી કરીને દર્દીઓના પરિવાર અને સગા-સંબંધીઓની અવર-જવર પણ વધી ગઈ છે. ત્યારે કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સિવિલ કેમ્પસમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેમ્પસમાં પોલીસના અન્ય વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.