એપશહેર

કોરોના વાયરસઃ અમદાવાદમાં 172 અને સુરતમાં 126 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસના કારણે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચાર દર્દીઓના મૃત્યુ થયા છે

I am Gujarat 27 Dec 2020, 7:55 pm
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોવિડ-19ના 172 નવા કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં છ નવા કેસ સામે આવ્યા છે અને આઠ દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ચાર દર્દીઓના મૃત્યુ થયા છે.
I am Gujarat ahmedabad corona26


સુરત શહેરમાં પણ કોવિડના કેસ ઘટી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 126 નવા કેસ નોંધાયા છે. જ્યારે 133 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 32 કેસ સામે આવ્યા છે અને 27 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે સુરત શહેરમાં બે લોકોના મોત થયા છે જ્યારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ હજી કેસની સંખ્યા 100થી ઉપર જ નોંધાઈ રહ્યા છે. વડોદરા શહેરમાં 105 નવા કેસ નોંધાયા છે જ્યારે 56 દર્દીો સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 30 કેસ સામે આવ્યા છે પરંતુ એક પણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. વડોદરા જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે વડોદરા શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

રાજકોટ શહેરમાં તો કેસની સંખ્યા 100થી નીચે જતી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં કોરોનાના 61 કેસ સામે આવ્યા છે પરંતુ તેની સામે 132 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 31 કેસ સામે આવ્યા છે અને 32 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેર કે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો