એપશહેર

સુરતમાં કોરોનાના 195 અને અમદાવાદમાં 147 કેસ

છેલ્લા 14 કલાકમાં સુરત શહેરમાં કોરોનાના 195 અને જિલ્લામાં 77 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 147 અને જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 5 દર્દીઓના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં 4ના મોત થયા છે.

I am Gujarat 12 Aug 2020, 9:02 pm
અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા સતત 1000થી ઉપર નોંધાઈ રહી છે. આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોમાં આજે પણ સુરત શહેર આગળ રહ્યું છે. સુરતમાં 195 કેસ નોંધાયા છે. તે પછી અમદાવાદનો નંબર આવે છે. અમદાવાદમાં 147 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદ શહેરમાં 4 અને સુરત શહેરમાં 2 દર્દીના મોત થયા છે.
I am Gujarat Coronavirus in Gujarat


સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો સુરત શહેરમાં 195 અને જિલ્લામાં 77 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 147 જ્યારે જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 5 લોકોનો મોત થયા છે, જેમાંથી સુરત શહેરમાં 3 અને જિલ્લામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત થયા છે અને એ બધા અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 156 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરાયા છે અને અમદાવાદ જિલ્લામાં 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે સુરત શહેરમાં 211 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે ગયા છે. જ્યારે સુરત જિલ્લામાં 38 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો