અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થતાં આજથી 10 દિવસ માટે સ્વંયભૂ લોકડાઉન અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેસ અને મૃત્યુઆંક વધતા લેવાયો નિર્ણય
મળતી માહિતી પ્રમાણે રાણીમાં રાધાસ્વામી રોડ વિસ્તારમાં 7 લોકોના મોત અને 70 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાણીપના કોર્પોરેટર ભદ્રેશ ભાઈના પરિવારના સભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ કોર્પોરેટરના પિતા તેમજ પૂર્વ કોર્પોરેટરના પતિનું પણ કોરોનાથી મૃત્યુ થયું છે.
રાધાસ્વામી રોડ પર આજથી 10 દિવસનું લોકડાઉન
કોરોના વધુ ન ફેલાય તે માટે રાધાસ્વામી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે તે વિસ્તારમાં કેટલીય જગ્યાએ કોરોના ભગાવો...પરિવાર બચાવોના બેનરો પણ લગાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, સામાજિક સંસ્થા અને રાણીપની 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઈ છે. આજે સવારથી દુકાનો બંધ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ ગુજરાતમાં ઘણી જગ્યાએ સંક્રમણ વધતા સ્થાનિકો અને વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું હતું. હજી પણ કેટલાય વિસ્તારોમાં કેસો વધવાને કારણે સ્થાનિકો બંધ પાળી રહ્યા છે. ત્યારે એક સમયનું કોરોનાનું એપિ સેન્ટર અમદાવાદમાં ફરી કોરોનાએ માથું ઉચકતા રાણીપ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ
પૂર્વ ઝોન- 369 કેસ
પશ્ચિમ ઝોન- 507 કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન- 513 કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન- 495 કેસ
મધ્ય ઝોન- 317 કેસ
ઉત્તર ઝોન- 360 કેસ
દક્ષિણ ઝોન- 435 કેસ
કુલ- 2996 કેસ
શિયાળામાં કોરોના વકરવાની આશંકા
ઠંડીના મોસમમાં કોરોના ફેલાવાની આશંકાને પગલે AMC તંત્ર દ્વારા સાવચેતી પગલા લેતા વિવિધ પ્રકારની રણનીતિ ઉપર કામ શરૂ દીધું હોવાનું જાણવા મળ્યું છે. ઠંડી અને ઉમરલાયક વ્યક્તિઓ માટે કોરોના જોખમી પૂરવાર તઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, અને જે લોકોને બીજી બીમારીઓ છે તેમને વધુ સાવધાન રહેવું પડશે.
છેલ્લા 24 કલાકમાં 174 કેસ નોંધાયા
ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 227 કેસ, અમદાવાદમાં 174 કેસ, વડોદરામાં 115 કેસ અને રાજકોટમાં 97 કેસ નોંધાયા છે. જો કે, સાથે સાથે સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આંકડા મુજબ રવિવારે ક્રમશ: 253, 107, 92 અને 112 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
કેસ અને મૃત્યુઆંક વધતા લેવાયો નિર્ણય
મળતી માહિતી પ્રમાણે રાણીમાં રાધાસ્વામી રોડ વિસ્તારમાં 7 લોકોના મોત અને 70 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાણીપના કોર્પોરેટર ભદ્રેશ ભાઈના પરિવારના સભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ કોર્પોરેટરના પિતા તેમજ પૂર્વ કોર્પોરેટરના પતિનું પણ કોરોનાથી મૃત્યુ થયું છે.
રાધાસ્વામી રોડ પર આજથી 10 દિવસનું લોકડાઉન
કોરોના વધુ ન ફેલાય તે માટે રાધાસ્વામી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે તે વિસ્તારમાં કેટલીય જગ્યાએ કોરોના ભગાવો...પરિવાર બચાવોના બેનરો પણ લગાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, સામાજિક સંસ્થા અને રાણીપની 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઈ છે. આજે સવારથી દુકાનો બંધ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ ગુજરાતમાં ઘણી જગ્યાએ સંક્રમણ વધતા સ્થાનિકો અને વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું હતું. હજી પણ કેટલાય વિસ્તારોમાં કેસો વધવાને કારણે સ્થાનિકો બંધ પાળી રહ્યા છે. ત્યારે એક સમયનું કોરોનાનું એપિ સેન્ટર અમદાવાદમાં ફરી કોરોનાએ માથું ઉચકતા રાણીપ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ
પૂર્વ ઝોન- 369 કેસ
પશ્ચિમ ઝોન- 507 કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન- 513 કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન- 495 કેસ
મધ્ય ઝોન- 317 કેસ
ઉત્તર ઝોન- 360 કેસ
દક્ષિણ ઝોન- 435 કેસ
કુલ- 2996 કેસ
શિયાળામાં કોરોના વકરવાની આશંકા
ઠંડીના મોસમમાં કોરોના ફેલાવાની આશંકાને પગલે AMC તંત્ર દ્વારા સાવચેતી પગલા લેતા વિવિધ પ્રકારની રણનીતિ ઉપર કામ શરૂ દીધું હોવાનું જાણવા મળ્યું છે. ઠંડી અને ઉમરલાયક વ્યક્તિઓ માટે કોરોના જોખમી પૂરવાર તઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, અને જે લોકોને બીજી બીમારીઓ છે તેમને વધુ સાવધાન રહેવું પડશે.
છેલ્લા 24 કલાકમાં 174 કેસ નોંધાયા
ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 227 કેસ, અમદાવાદમાં 174 કેસ, વડોદરામાં 115 કેસ અને રાજકોટમાં 97 કેસ નોંધાયા છે. જો કે, સાથે સાથે સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આંકડા મુજબ રવિવારે ક્રમશ: 253, 107, 92 અને 112 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.