અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 75 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50,817 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું કે, હવે નિયમિત ટેસ્ટિંગનો આંકડો દર 10 લાખે 782 પર પહોંચી ગયો છે.
ટેસ્ટિંગના એનાલિસિસમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (કરવામાં આવેલા 100 ટેસ્ટમાંથી નવા કેસ)50,817 ટેસ્ટમાંથી 1,092 કેસની સાથે 2 ટકા હતો. 13 જુલાઈએ આ રેટ 16 ટકા હતો જ્યારે રાજ્યમાં 5,619 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 902 કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 28,602, 16,135, 6060 અને 2,979 કેસ છે. ગુજરાતમાં ડાંગ માત્ર એક એવો જિલ્લો છે, જ્યાં 100 કરતાં ઓછા કેસ છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 6 નવા કેસની સાથે સંખ્યા કુલ કેસ 102 થયા છે.
રાજ્યમાં કોરોનાના 18 દર્દીઓ મોતને ભેટ્યા હતા, આ સાથે મૃત્યુઆંક 2,733 પર પહોંચ્યો છે. 18 દર્દીઓમાંથી, 14 મહાનગરપાલિકા વિસ્તારના હતા. સુરતના 5, અમદાવાદના 4, રાજકોટના 3 દર્દીઓ મોતને ભેટ્યા હતા. જ્યારે ભાવનગર, ગાંધીનગર, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ અને વડોદરામાંથી 1-1 દર્દીઓ મોતને ભેટ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 1,046 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા, આ આથે અત્યારસુધીમાં કુલ 58,439 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતના 238, અમદાવાદના 235, વડોદરાના 148 અને ભાવનગરના 74 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
અપડેટની સાથે ગુજરાતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 14,310 છે, જે કુલ દર્દીઓના 19 ટકા છે. ડિસ્ચાર્જ અને મૃત દર્દીઓનો હિસ્સો હવે અનુક્રમે 77.4% અને 3.6% છે. ગુરુવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 4.88 લાખ લોકો ક્વોરન્ટિન હેઠળ છે. જેમાંથી 4.87 લાખ હોમ ક્વોરન્ટિનમાં છે.
ટેસ્ટિંગના એનાલિસિસમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (કરવામાં આવેલા 100 ટેસ્ટમાંથી નવા કેસ)50,817 ટેસ્ટમાંથી 1,092 કેસની સાથે 2 ટકા હતો. 13 જુલાઈએ આ રેટ 16 ટકા હતો જ્યારે રાજ્યમાં 5,619 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 902 કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 28,602, 16,135, 6060 અને 2,979 કેસ છે. ગુજરાતમાં ડાંગ માત્ર એક એવો જિલ્લો છે, જ્યાં 100 કરતાં ઓછા કેસ છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 6 નવા કેસની સાથે સંખ્યા કુલ કેસ 102 થયા છે.
રાજ્યમાં કોરોનાના 18 દર્દીઓ મોતને ભેટ્યા હતા, આ સાથે મૃત્યુઆંક 2,733 પર પહોંચ્યો છે. 18 દર્દીઓમાંથી, 14 મહાનગરપાલિકા વિસ્તારના હતા. સુરતના 5, અમદાવાદના 4, રાજકોટના 3 દર્દીઓ મોતને ભેટ્યા હતા. જ્યારે ભાવનગર, ગાંધીનગર, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ અને વડોદરામાંથી 1-1 દર્દીઓ મોતને ભેટ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 1,046 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા, આ આથે અત્યારસુધીમાં કુલ 58,439 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતના 238, અમદાવાદના 235, વડોદરાના 148 અને ભાવનગરના 74 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
અપડેટની સાથે ગુજરાતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 14,310 છે, જે કુલ દર્દીઓના 19 ટકા છે. ડિસ્ચાર્જ અને મૃત દર્દીઓનો હિસ્સો હવે અનુક્રમે 77.4% અને 3.6% છે. ગુરુવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 4.88 લાખ લોકો ક્વોરન્ટિન હેઠળ છે. જેમાંથી 4.87 લાખ હોમ ક્વોરન્ટિનમાં છે.