એપશહેર

સુરતમાં કોરોનાના 201 અને અમદાવાદમાં 152 નવા કેસ નોંધાયા

સુરતમાં તો કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે પરંતુ હવે સુરત જિલ્લામાં વધી રહેલા કેસથી તંત્રની ચિંતા વધી ગઈ છે

I am Gujarat 26 Jul 2020, 7:51 pm
છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કેસની સંખ્યા વધેલી જોવા મળી હતી પરંતુ છેલ્લા 24 કલાકમાં તેમાં થોડી રાહત જોવા મળી રહી છે અને કેસની સંખ્યા 150ની નજીક આવી ગઈ છે. જ્યારે સુરતમાં 200થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 152 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 201 કેસ સામે આવ્યા છે. જોકે, સુરત જિલ્લામાં મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
I am Gujarat અમદાવાદમાં કોરોના વાયરસ


અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યા 180ની આસપાસ રહી હતી પરંતુ છેલ્લા 24 કલાકમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં કોરોનાના 152 નવા કેસ નોંધાયા છે. જ્યારે 147 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. જોકે, અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કેસની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા ડબલ છે. અમદાવાદ જિલ્લામાં 11 નવા કેસ નોંધાયા છે જેની સામે 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં ત્રણ વ્યક્તિઓએ કોવિડ-19ના કારણે જીવ ગુમાવ્યો છે.

જોકે, સુરતમાં કોઈ રાહત જોવા મળી રહી નથી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 201 નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં વધી રહેલા કેસો ચિંતાનો વિષય બની ગયો છે. સુરત જિલ્લામાં 98 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 46 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. સુરતમાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે તો સુરત જિલ્લામાં પાંચ લોકોએ કોવિડ-19મા પોતાનો જીવ ગુમાવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો