એપશહેર

ગુજરાતમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 400ની નીચે પહોંચ્યા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 50 લોકો કોરોનામાંથી સાજા થયા છે, એક પણ દર્દીનું મોત થયું નથી

I am Gujarat 21 Jul 2021, 7:58 pm

હાઈલાઈટ્સ:

  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા અને 50 દર્દીઓ સાજા થયા, રાજ્યમાં એક પણ મોત નોંધાયું નથી
  • રાજ્યમાં હાલમાં 389 એક્ટિવ કેસ છે જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 384 દર્દીઓ સ્ટેબલ છે
  • ગુજરાતમાં રિકવરી રેટ 98.73 ટકા છે, અત્યાર સુધી કુલ 10,076 લોકોના મોત થયા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ahmedabad coronavirus8
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા અને હવે દૈનિક કેસની સંખ્યા 30ની નીચે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 28 નવા કેસ નોંધાયા છે અને 50 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક પણ મોત થયું નથી. રાજ્યમાં સૌથી વધુ કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે. હવે રાજ્યમાં એક પણ શહેર કે જિલ્લામાં બે આંકડામાં કેસ નોંધાઈ રહ્યા નથી.
રુપાણીનો દાવો, ઓક્સિજનની કમીથી ગુજરાતમાં કોઈનું મોત નથી થયુંરાજ્યમાં હાલમાં એક્ટિવ કેસ પણ 400ની નીચે થઈ ગયા છે. હાલમાં રાજ્યમાં 389 એક્ટિવ કેસ છે જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 384 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,14,109 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે 10,076 લોકોના કોવિડ-19થી મોત થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.73 ટકા છે.
ASIની ગુમ પુત્રીનો કેસઃ 'હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું, તું નોકરાણી' કહી PI સસરા ત્રાસ આપતાછેલ્લ 24 કલાકમાં વડોદરા શહેરમાં સૌથી વધુ 8 કેસ નોંધાયા છે અને 5 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં 4 કેસ નોંધાયા છે જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. સુરત શહેરમાં પણ ચાર કેસ નોંધાયા છે.
આ ઉપરાંત આણંદમાં બે તથા ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ શહેર, નવસારી, પોરબંદર, રાજકોટ શહેર, સુરત જિલ્લા, વડોદરા જિલ્લા અને વલસાડમાં એક-એક કેસ નોંધાયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો