એપશહેર

કોરોનાઃ અમદાવાદમાં 296 અને સુરતમાં 202 નવા કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના કારણે નવ દર્દીઓએ જીવ ગુમાવ્યા, રાજકોટ અને વડોદરા શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા

I am Gujarat 5 Dec 2020, 8:07 pm
અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં નજીવો ઘટાડો થયો છે અને કેસની સંખ્યા 300થી નીચે આવી છે. જ્યારે સુરતમાં પણ આંશિક રાહત છે. વડોદરા અને રાજકોટમાં દૈનિક 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 296 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 319 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં 36 કેસ સામે આવ્યા છે અને 25 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાના કારણે નવ લોકોના મોત થયા છે.
I am Gujarat ahmedabad covid 19_6


સુરતમાં કોવિડ-19ના દૈનિક 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના 202 નવા કેસ નોંધાયા છે જેની સામે 221 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સુરત જિલ્લામાં કેસની સંખ્યા થોડી ઘટી છે. સુરત જિલ્લામાં 39 કેસ સામે આવ્યા છે અને 48 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોવિડ-19ના કારણે સુરત શહેરમાં બે દર્દીઓના મૃત્યુ થયા છે.

વડોદરા શહેરમાં કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 137 નવા કેસ સામે આવ્યા છે અને 162 દર્દીઓ સાજા થયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે અને 59 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં કોરોનાના કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.

રાજકોટ શહેરમાં 101 કેસ નોંધાયા છે અને 67 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજકોટ જિલ્લામાં 44 કેસ નોંધાયા છે અને 51 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના કારણે રાજકોટ જિલ્લામાં બે તથા શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો