એપશહેર

અમદાવાદના થિયેટર બિઝનેસ પર કોરોનાનો માર, કેન્સલ કરવા પડ્યા નાઈટ શૉ

જાન્યુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં થિયેટર્સમાં આવતા દર્શકોમાં 50%નો ઘટાડો નોંધાયો છે અને હવે તો ખાસ કોઈ બિઝનેસ પણ થઈ રહ્યો નથી.

TNN 27 Jan 2022, 7:20 pm

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં કોરોનાના કેસો વધતા મલ્ટિપ્લેક્સના માલિકોને મૂવી શૉ કેન્સલ કરવા પડી રહ્યા છે.
  • શહેરના વાઈડએન્ગલ સિનેમાએ દૈનિક શૉ 30થી ઘટાડીને 6 શૉ કરી દીધા છે.
  • હાલ થિયેટરમાં આવતા દર્શકોનો ધસારો ઓછો છે અને રાત્રિના મૂવી શૉ પણ કેન્સલ કર્યા છે.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q6
પ્રતીકાત્મક તસવીર
કૈફ શેખ, અમદાવાદ: કોરોના વાયરસની આ મહામારીની ત્રીજી લહેર દરમિયાન શહેરના મલ્ટિપ્લેક્સમાં આવતા દર્શકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2021ના ડિસેમ્બર મહિનાની સરખામણીમાં જાન્યુઆરી, 2022માં શહેરના મલ્ટિપ્લેક્સમાં ખાસ્સા દર્શકો ઘટ્યા છે. તેમજ હાલ કોઈ નવી ફિલ્મ્સ થિયેટરમાં રિલીઝ પણ થઈ રહી નથી.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા એક મલ્ટિપ્લેક્સના યુનિટ મેનેજરે જણાવ્યું કે, જાન્યુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં થિયેટર્સમાં આવતા દર્શકોમાં 50%નો ઘટાડો નોંધાયો છે અને હવે તો ખાસ કોઈ બિઝનેસ પણ થઈ રહ્યો નથી. અત્યારે અમે દિવસના 6ની જગ્યાએ 3 શૉ ચલાવીએ છીએ. ડિસેમ્બર મહિનામાં થિયેટરના બિઝનેસમાં સુધારો જોવા મળ્યો હતો પણ જાન્યુઆરીમાં કોરોનાના કેસો વધતા મલ્ટિપ્લેક્સ બિઝનેસ પર ખાસ્સી અસર પડી છે.
કેનેડા બોર્ડરે 4ના મોતઃ USમાં 7ની ધરપકડ પછી સામે આવેલી વિગતોથી મામલો ગૂંચવાયો
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા મલ્ટિપ્લેક્સના માલિકોને મૂવી શૉ કેન્સલ કરવા પડી રહ્યા છે. શહેરના વાઈડએન્ગલ સિનેમાએ દૈનિક શૉ 30થી ઘટાડીને 6 શૉ કરી દીધા છે. કારણકે, હાલ થિયેટરમાં આવતા દર્શકોનો ધસારો ઓછો છે અને રાત્રિના મૂવી શૉ પણ કેન્સલ કર્યા છે. જેનું બીજું એક એવું પણ કારણ છે કે હાલ કોઈ નવી મૂવી રિલીઝ થઈ રહી નથી. છેલ્લા મહિનાથી થિયેટર્સમાં જૂની ફિલ્મો જ દેખાડવામાં આવી રહી છે.

શહેરનું પ્રખ્યાત એવું ડ્રાઈવ-ઈન સિનેમામાં ડિસેમ્બર મહિનામાં મૂવી શૉ પેક જઈ રહ્યા હતા જ્યારે હવે તેઓ માત્ર એક જ શૉ ચલાવી રહ્યા છે. ત્યાંના મેનેજરે જણાવ્યું કે, કર્ફ્યુ ટાઈમ અને આઉટડોર સ્ક્રીનના કારણે નાઈટ શૉ હાલ શક્ય નથી. દિવસનો એક કરતા વધારે શૉ દેખાડી શકીએ તેમ નથી. ડિસેમ્બરમાં અમને એવી આશા હતી કે હવે નવી ફિલ્મો થિયેટર્સમાં આવશે પણ કોરોનાના વધતા કેસોના લીધે હાલ તે શક્ય બન્યું નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા નવા આંકડા પ્રમાણે ભારતમાં વધુ કોરોનાના નવા 2.86 લાખ કેસ નોંધાયા છે, જેમાં ગઈકાલ કરતા સામાન્ય 0.1 ટકાનો વધારો થયો છે. સવારે 9 વાગ્યે રજૂ કરેલા આંકડા પ્રમાણે દેશમાં વધુ 573 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 4,91,700 થઈ ગયો છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સામે એક્ટિવ કેસની ટકાવારી 5.46 ટકા થાય છે, જ્યારે કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની ટકાવારી 93.33 ટકા થાય છે. સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 20,546નો ઘટાડો નોંધાયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો