એપશહેર

અમદાવાદઃ આસોપાલવ શો રૂમના 9 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ એક ખાસ ડ્રાઈવ હાથ ધરી છે. જેમાં આસોપાલવ શો રૂમના 9 કર્મચારીઓનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

TNN 1 Sep 2020, 7:55 am
અમદાવાદઃ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે કોરોનાનું સંક્રમણ ઓછું કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોવિડ-19 ટેસ્ટિંગ માટે એક ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં નેહરુ બ્રિજ અને શિવરંજની પાસે આવેલા અને સાડી-ડ્રેસ માટે જાણીતા શો રૂમ આસોપાલવના ઓછામાં ઓછા નવ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
I am Gujarat ASOPALAV SHOW ROOM


અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે, વાયરસને ફેલાતો રોકવા માટેની ડ્રાઈવના ભાગરૂપે તેમણે તેવી જગ્યાના સ્ટાફનું ચેકિંગ કર્યું હતું, જ્યાં લોકો સૌથી વધારે ભેગા થાય છે. આ ચેકિંગ દરમિયાન આસોપાલવના બે શો રૂમના નવ કર્મચારીઓને કોવિડ-19 હોવાનું સામે આવ્યું છે.

AMCએ કહ્યું કે, આ કર્મચારીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે અને તેમને કોવિડ કેર સેન્ટર્સ તેમજ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, મુલાકાતીઓ સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે શો રૂમ અને મોલમાં ચેકિંગ યથાવત્ રખાશે.

અધિકારીઓે કહ્યું કે, ઘણા મોટા શો રૂમે ઓફર્સની સાથે મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જેના કારણે ત્યાં લોકોનો ધસારો વધારે રહે છે. અધિકારીઓએ કહ્યું કે, આ કર્મચારીઓ ગ્રાહકોના કારણે સંક્રમિત થયા હોવાની પણ શક્યતા છે.

શો રૂમના માલિક કામ પર આવતા પહેલા તેમના સ્ટાફના સભ્યોનું સ્ક્રીનિંગ કરે છે કે નહીં તેના પર આ સવાલ ઉભા કરે છે, તેમ અધિકારીઓએ કહ્યું હતું.

આ પણ જુઓઃ નર્મદાના વિનાશક પૂરમાં ગરુડેશ્વરનું મહાદેવ મંદિર તૂટી પડ્યું

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો