એપશહેર

યુકેથી અમદાવાદ પહોંચેલા મુસાફરોનો બળાપો, ડબલ ભાડુ આપ્યું છતા સરકારે ન આપી સુવિધા

ચિંતન રામી | I am Gujarat 15 May 2020, 7:26 pm
કોરોના વાયરસના કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન છે. ભારતમાં પણ હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે સરકારે ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોવિદેશથી ઘણા ગુજરાતીઓ પણ આ ફ્લાઈટમાં વતન પરત ફરી રહ્યા છે. તેવામાં યુકેથી 374 મુસાફરો સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ આવી હતી. યુકેથી અમદાવાદ આવેલા મુસાફરોએ ફ્લાઈટમાં કોઈ જ સુવિધા નહીં મળી હોવાની ફરિયાદો કરી હતી.મુસાફરો ઘણા નારાજ છે અને તેણે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. મુસાફરોએ કહ્યું હતું કે સરકારે ઈકોનોમી ક્લાસમાં 50,000 અને ફર્સ્ટ ક્લાસમાં દોઢ લાખ જેટલું ભાડુ લીધું છે. તેમ છતાં મુસાફરોને લંડનથી અમદાવાદ આવતી વખત વિમાનમાં કોઈ સુવિધા આપી ન હતી. ખાવા-પીવાની પણ સુવિધા ન હતી. જમવાના નામે ફક્ત એક નાસ્તાનું પડીકુ આપવામાં આવ્યું હતું.સરકારે ભારતીય નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે લગભગ ડબલ ભાડુ લીધું છે પરંતુ તેમને પૂરતી સુવિધાઓ પૂરી પાડી નથી તેવી ફરિયાદો મુસાફરોએ કરી છે. આ ઉપરાંત જ્યારે મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે ફ્લાીટમાં તો મુસાફરો વચ્ચે છ ઈંચની જગ્યા પણ ન હતી.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story