અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના વધુ 13 કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 295 થઈ ગઈ છે. નારણપુરામાં એક જ પરિવારમાં 4 સભ્યોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ નારણપુરાના નિર્મલ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારમાં માતા, પુત્ર, પુત્રવધુ અને પૌત્રને કોરોના ડિટેક્ટ થયો છે.અમદાવાદમાં કોરોનાએ 13 લોકોનો ભોગ લીધોગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. એક જ દિવસમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીઓના મોત થતા મૃત્યુઆંક 13 થઈ ગયો છે. જેમાં એક વિદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે. આંકડા પર નજર કરીઓ તો અમદાવાદમાં કોરોનાના અત્યારસુધી 295 કેસ નોંધાઈ ચૂંક્યા છે. જેમાં 15 વિદેશી, 27 આંતરરાજ્ય અને 253 લોકલ નાગરિકાનો સમાવેશ થાય છે.પોલીસ જવાનને થયો કોરોનાકાલુપુરમાં ફરજ બજાવતા પોલીસ જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોટસ્પોટ કાલુપુરમાં ફરજ બજાવતા પોલીસ જવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો અને પોલીસ કર્મચારીઓને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે.ગુજરાતમાં સૌથી વધુ કેસઅમદાવાદ- 295 કેસવડોદરા- 102 કેસસુરત- 33 કેસભાવનગર- 23 કેસરાજકોટ- 18 કેસગાંધીનગર- 15 કેસપાટણ-14 કેસમાસ્ક પહેર્યા વગર બહાર નીકળ્યા તો રૂ.5000નો દંડમ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ આજથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જેથી હવે કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે કોઈ વ્યક્તિ દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.
અમદાવાદમાં કોરોના: નારણપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
I am Gujarat 13 Apr 2020, 12:53 pm