એપશહેર

કોરોના વાયરસ: સુરતમાં 176 અને અમદાવાદમાં 152 નવા કેસ નોંધાયા

અમદાવાદ અને સુરત ઉપરાંત જામનગર શહેર અને સુરત જિલ્લામાં પણ 100થી વધુ કેસ નોંધાયા

I am Gujarat 18 Sep 2020, 8:05 pm
સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસની પરિસ્થિતિ ચિંતાજનક છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કેસની સંખ્યા વધી રહી છે જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસની સંખ્યામાં કોઈ જ ઘટાડો નોંધાઈ રહ્યો નથી તો બીજી તરફ સુરત જિલ્લામાં અને જામનગરમાં કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટ અને વડોદરા શહેરમાં પણ પરિસ્થિતિ વકરી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના 152 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 176 કેસ સામે આવ્યા છે. જોકે, બંને શહેરમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે છે.
I am Gujarat covid 19 in gujarat 176 new coronavirus cases register in surat and 152 in ahmedabad
કોરોના વાયરસ: સુરતમાં 176 અને અમદાવાદમાં 152 નવા કેસ નોંધાયા


અમદાવાદમાં 152 નવા કેસ નોંધાયા

અમદાવાદમાં એક સમયે કેસની સંખ્યા 140ની નીચે પહોંચી ગઈ હતી પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કેસની સંખ્યા 150થી ઉપર નોંધાઈ રહી છે. દૈનિક કેસ 150થી વધુ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 152 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 180 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં પણ કેસની સંખ્યામાં કોઈ જ ઘટાડો નોંધાઈ રહ્યો નથી. અમદાવાદ જિલ્લામાં 21 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

સુરતમાં 232 દર્દીઓ સાજા થયા, જિલ્લામાં 100થી વધુ કેસ

સુરત શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા નથી તેનાથી તંત્રની ઊંઘ ઉડેલી છે તેવામાં સુરત જિલ્લામાં પણ કેસ વધી રહ્યા છે. સુરત જિલ્લામાં દૈનિક કેસ 100થી ઉપર આવે છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 176 નવા કેસ નોંધાયા છે. જોકે, તેની સામે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. સુરતમાં 232 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 110 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે સુરત જિલ્લામાં ત્રણ અને શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

જામનગરમાં કોરોનાના 104 નવા કેસ નોંધાયા

જામનગરમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જામનગરમાં પણ દૈનિક કેસની સંખ્યા 100ની ઉપર નોંધાઈ રહી છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 104 નવા કેસ આવ્યા છે અને 101 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 25 કેસ નોંધાયા છ અને 15 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં પણ દૈનિક કેસની સંખ્યા 100ની નજીક પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં 98 નવા કેસ નોંધાયા છે અને 156 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 46 કેસ નોંધાયા છે અને 54 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાના કારણે ત્રણ અને જિલ્લામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

વડોદરામાં 94 નવા કેસ નોંધાયા

વડોદરા શહેરમાં પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 94 નવા કેસ નોંધાયા છે અને 107 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે પરંતુ એક પણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. વડોદરા શહેરમાં કોરોનાથી બે અને જિલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો