એપશહેર

કોરોનાઃ અમદાવાદમાં 221 અને સુરતમાં 139 નવા કેસ નોંધાયા

અમદાવાદ સહિત ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત ઘટી રહી છે

I am Gujarat 18 Dec 2020, 7:59 pm
અમદાવાદ સહિત ગુજરાતના ચાર મોટા શહેરોમાં હવે કોરોના વાયરસની પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ ચારેય શહેરોમાં કોવિડ-19ના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. દિવાળી પછી અમદાવાદ શહેરમાં દૈનિક 300ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા જ્યારે સુરત શહેરમાં 200થી ઉપર કેસ નોંધાયા હતા. જોકે, હવે આ બંને શહેરોમાં કેસની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. આ ઉપરાંત રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે.
I am Gujarat ahmedabad corona27


છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના 221 નવા કેસ નોંધાયા છે. જ્યારે 214 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ શહેરમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ જિલ્લામાં 11 નવા કેસ નોંધાયા છે જ્યારે 9 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ શહેરમાં ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

સુરત શહેરમાં દૈનિક કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 139 નવા કેસ સામે આવ્યા છે. જેની સામે 145 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં 34 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓ સાજા થયા છે. સુરત શહેરમાં કોવિડ-19થી ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

વડોદરા શહેરમાં કોવિડ-19ના 108 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 58 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે અને તેની સામે 57 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા 100થી નીચે આવી ગઈ છે. રાજકોટ શહેરમાં 86 કેસ નોંધાયા છે અને 88 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ જિલ્લામાં 36 કેસ સામે આવ્યા છે અને 31 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી રાજકોટમાં એક દર્દીનું મોત થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો