એપશહેર

સુરતમાં કોરોનાના 239 અને અમદાવાદમાં 183 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી વધારે અસરગ્રસ્ત સુરત અને અમદાવાદમાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી

I am Gujarat 17 Oct 2020, 7:54 pm
ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી વધારે અસરગ્રસ્ત સુરત અને અમદાવાદમાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. અમદાવાદ અને સુરતમાં તંત્રના પ્રયાસ છતાં હાલમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા નથી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 239 નવા કેસ સામે આવ્યા છે. જોકે, સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેસની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જામનગર શહેરમાં પણ કોરોનાના કેસ થોડા ઘટ્યા છે.
I am Gujarat covid 19 in gujarat 239 new coronavirus cases register in surat and 183 in ahmedabad
સુરતમાં કોરોનાના 239 અને અમદાવાદમાં 183 નવા કેસ નોંધાયા


અમદાવાદ શહેરમાં 168 નવા કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં તંત્રના પ્રયાસ છતાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા નથી. એક સમયે દૈનિક કેસ 150થી નીચે જતા રહ્યા હતા પરંતુ હાલમાં દૈનિક કેસ 170ની આસપાસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના 168 નવા કેસ નોંધાયા છે જ્યારે 171 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે અને 8 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કોવિડ-19ના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં 171 કેસ, સુરત જિલ્લામાં કેસમાં નજીવો ઘટાડો

સુરતમાં પણ અમદાવાદની જેમ છેલ્લા ઘણા દિવસોથી દૈનિક કેસમાં વધારો થયો છે. સુરતમાં પણ દૈનિક 170ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 171 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 179 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 68 કેસ નોંધાયા છે અને 107 દર્દીઓ સાજા થયા છે. સુરત શહેરમાં કોરોનાથી બે દર્દીઓના મૃત્યુ થયા છે.

જામનગર શહેરમાં દૈનિક કેસ 50 થઈ ગયા

એક સમયે જામનગર શહેરમાં કોવિડ-19ના દૈનિક કેસ 100થી ઉપર નોંધાઈ રહ્યા હતા ત્યારે આ આંકડો 50 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા છે જ્યારે 46 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 24 કેસ નોંધાયા છે અને 24 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં 71 નવા કેસ સામે આવ્યા છે અને 87 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 37 કેસ નોંધાયા છે અને 62 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં ત્રણ વ્યક્તિઓના કોવિડ-19થી મૃત્યુ થયા છે.

વડોદરામાં 74 નવા કેસ સામે આવ્યા

સુરત અને અમદાવાદ બાદ વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધારે કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 74 નવા કેસ સામે આવ્યા છે અને 46 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. વડોદરા જિલ્લામાં 42 કેસ નોંધાયા છે. જોકે, તેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 121 નોંધાઈ છે. વડોદરામાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો