સુરત અને અમદાવાદ કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 283 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 191 કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ 100થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા શહેરમાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 172 કેસ સામે આવ્યા છે. જોકે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે જેમાં 250 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
સુરત શહેર અને જિલ્લામાં 100થી વધુ કેસ નોંધાય છે અને બંનેમાં કુલ મળીને 283 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના 181 નવા કેસ નોંધાયા છે અને 178 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 102 કેસ નોંધાયા છે અને 95 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. કોરોનાના કારણે સુરત જિલ્લામાં ત્રણ અને સુરત શહેરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 105 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 97 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 47 કેસ નોંધાયા છે અને 80 દર્દીઓ સાજા થયા છે. જામનગર શહેરમાં કેસમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો નોંધાયો છે. જામનગરમાં 63 કેસ નોંધાયા છે અને 41 દર્દીઓ સાજા થયા છે. જ્યારે જામનગર જિલ્લામાં 29 કેસ નોંધાયા છે અને 39 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
વડોદરામાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે અને કેસ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. વડોદરા શહેરમાં કોવિડ-19ના 90 નવા કેસ નોંધાયા છે જેની સામે 86 દર્દીઓ સાજા થયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ 43 કેસ નોંધાયા છે પરંતુ એક પણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. વડોદરા શહેરમાં કોરોનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 172 કેસ સામે આવ્યા છે. જોકે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે જેમાં 250 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
સુરત શહેર અને જિલ્લામાં 100થી વધુ કેસ નોંધાય છે અને બંનેમાં કુલ મળીને 283 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના 181 નવા કેસ નોંધાયા છે અને 178 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 102 કેસ નોંધાયા છે અને 95 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. કોરોનાના કારણે સુરત જિલ્લામાં ત્રણ અને સુરત શહેરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 105 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 97 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 47 કેસ નોંધાયા છે અને 80 દર્દીઓ સાજા થયા છે. જામનગર શહેરમાં કેસમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો નોંધાયો છે. જામનગરમાં 63 કેસ નોંધાયા છે અને 41 દર્દીઓ સાજા થયા છે. જ્યારે જામનગર જિલ્લામાં 29 કેસ નોંધાયા છે અને 39 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
વડોદરામાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે અને કેસ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. વડોદરા શહેરમાં કોવિડ-19ના 90 નવા કેસ નોંધાયા છે જેની સામે 86 દર્દીઓ સાજા થયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ 43 કેસ નોંધાયા છે પરંતુ એક પણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. વડોદરા શહેરમાં કોરોનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.