એપશહેર

કોરોના વાયરસઃ અમદાવાદમાં 289 અને સુરતમાં 191 નવા કેસ નોંધાયા

ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે

I am Gujarat 7 Dec 2020, 7:36 pm
ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ચાર મુખ્ય શહેરોમાં પણ કેસમાં થોડો ઘટાડો થયો છે. અમદાવાદમાં દૈનિક કેસ 300થી નીચે અને સુરતમાં 200થી નીચે આવી ગયા છે. જોકે, હજી પરિસ્થિતિ ચિંતાજનક છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 289 નવા કેસ નોંધાયા છે જેની સામે 285 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 17 કેસ નોંધાયા છે અને 29 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોવિડ-19ના કારણે અમદાવાદ શહેરમાં 9 લોકોના મોત થયા છે.
I am Gujarat ahmedabad corona14


સુરત શહેરમાં કેસની સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે. સુરત શહેરમાં કોવિડ-19ના 191 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 214 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સુરત જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિમાં રાહત જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં 31 કેસ નોંધાયા છે. જ્યારે 62 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે સુરત શહેરમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.

વડોદરામાં હજી કોઈ રાહત જોવા મળી રહી નથી. વડોદરા શહેરમાં કેસની સંખ્યા 100થી ઉપર નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 135 નવા કેસ નોંધાયા છે અને 150 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 42 કેસ નોંધાયા છે અને 36 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. વડોદરા શહેર કે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

રાજકોટ શહેરમાં કેસમાં ઘટાડો થયો છે અને છેલ્લા 24 કલાકમાં 100થી ઓછા કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 89 કેસ નોંધાયા છે અને 94 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 39 કેસ સામે આવ્યા છે જ્યારે 53 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી રાજકોટ શહેરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો