એપશહેર

AMTS અને BRTSમાં મુસાફરી કરતા ડરી રહ્યા છે અમદાવાદીઓ

Hitesh Mori | Ahmedabad Mirror 25 Jun 2020, 8:57 pm
લક્ષ્મી પટેલ,અમદાવાદઃ લોકડાઉનમાં રાહત મળ્યાં બાદ ફરીથી અમદાવાદીઓ નોકરી ધંધામાં લાગી ગયા છે. આ સાથે હજુ પણ લોકોમાં કોરોના વાયરસનો ડર જોવા મળી રહ્યો છે. તેની સૌથી વધારે અસર પબ્લિક ટ્રાન્સપોર્ટ પર જોવા મળી રહી છે. અમદાવાદમાં મુખ્યત્વે AMTS અને BRTS સેવાનો લોકો ઉપયોગ કરે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોલોકડાઉન પહેલા AMTS બસમાં દરરોજ 1 લાખ કરતા વધુ મુસાફરો મુસાફરી કરતા હતા અને 24 દિવસમાં 1.20 કરોડ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. લોકડાઉનમાં રાહત આપ્યા બાદ AMTS ફરી શરૂ કરવામાં આવી. જૂન મહિનામાં એવરેજ 32,000 લોકોએ દરરોજ મુસાફરી કરી રહ્યા છે. આ મહિનામાં અત્યાર સુધી 7.86 લાખ લોકો મુસાફરી કરી છે. મુસાફરોની સંખ્યાના ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે કોવિડ-19.લોકડાઉન પહેલા 24 દિવસમાં AMTSને 5.28 કરોડ રૂપિયાની આવક થઈ હતી એટલે કે દરરોજ 22 લાખ રૂપિયાની આવક થતી હતી પરંતુ હાલના મહિનામાં દરરોજ માત્ર 3.5 લાખ રૂપિયા આવક થઈ રહી છે.
AMTSના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું કે, ‘પહેલા એક બસમાં એવરેજ 700 મુસાફરો મુસાફરી કરતા હતા પરંતુ હાલમાં આ આંકડો માત્ર 90 થી 100 સુધીનો જ છે. પહેલા દરરોજ 5 લાખ પેસેન્જર મુસાફરી કરતા પરંતુ હાલ 32,000 પેસન્જર મળી રહ્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે અમે 700 બસમાંથી માત્ર 386 બસનો જ ઉપયોગ કરી રહ્યા છીએ.’
BRTSની સ્થિતિ પણ તેવી જ છે. લોકડાઉન પહેલા એવરેજ 1.5 લાખ લોકો મુસાફરી કરતા હતા હાલમાં આ આંકડો ઘટીને માત્ર 15,000 સુધી રહ્યો છે. આવકની વાત કરીએ તો પહેલા એવરેજ 18 લાખ રૂપિયાની આવક થતી હતી જે હાલ માત્ર 2 લાખ રૂપિયની એવરેજ મળી રહી છે. હાલ 250 બસમાંથી 125 બસ કાર્યરત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો